________________
દ્વાર ૨ જું (પાંચ વંદનનાં ૫ ઉદાહરણ) ૧૦૩ તેમને રજોહરણાદિ ઉપકરણને વિતિ=સંચય તે દ્રવ્ય વિતિચંદ્ર અને પ્રાયશ્ચિત્ત વખતે એજ ઉપકરણને સંચય તે માત્ર નિતિર્થન જાણવું. (આવ૦ વૃત્તિ અને પ્રવ૦ સારે વૃત્તિને અનુસાર), નિ દ્વિતીય છ7 | છે ૩ કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરકનું દ્રષ્ટાંત છે
દ્વારિકા નગરીમાં કૃષ્ણવાસુદેવ અને તેમનું મુખ જોયા પછી જ ભેજન કરનાર વીરક નામને કેળી રાજસેવક હતેચમાસામાં કૃષ્ણ વાસુદેવ રાજવાડીએ ન જતા હોવાથી રાજમહેલની બહારજ નીકળતા ન હતા તેથી દર્શનના અભાવે વીરક શાળાપતિ દુર્બળ થયે, ચાતુર્માસ વીત્યાબાદ સર્વ રાજાઓ આવ્યા અને વીરક પણ દર્શનાર્થે આવ્યો. કૃષ્ણ દુર્બળતાનું કારણ પૂછતાં દ્વારપાલે ચાર મહિના સુધી આપના દર્શનવિના ખાધાપીધા સિવાય બેસી રહેવાની સર્વ વિગત કહી, તે સાંભળી વીરકને અતઃપુરમાં પણ રજા વિના પ્રવેશ કરવાની આજ્ઞા આપી. હવે કૃષ્ણની જે જે પુત્રી વિવાહ યોગ્ય થાય તેને માતા કૃષ્ણ પાસે શણગાર પહેરાવી મોકલે ત્યારે તેને “રાણ થવું છે કે દાસી? એમ કૃષ્ણ પૂછે, અને રાણી થવું છે” એમ કહેનારને કૃષ્ણ મહત્સવ પૂર્વક શ્રી નેમિનાથ પાસે દીક્ષા અપાવે. એક વખતે માતાએ શીખવેલી એક પુત્રીએ દાસી થવાનું કહેતાં તે વીરક કેળીને પરણાવી, અને પિનાની પુત્રી પાસે સખ્ત ઘર કામ કરાવાની વીરકને ફરજ પાડતાં પુત્રીએ અકળાઇને અને રાણી થવાનું કહેતાં વીરકની અનુમતિ લઈ કૃષ્ણ દીક્ષા અપાવી. આમાં કૃષ્ણને હેતુ એજ કે મારી પુત્રી દુર્ગતિમાં ન જાય. એક વખતે
શ્રી નેમિનાથ પ્રભુ રૈવતકગિરિ (ગિરનાર) સમવસર્યા. તે વખતે કૃષ્ણ વાસુદેવ અને એજ વીરક શાળાપતિ પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં કૃષ્ણ તો સર્વ સાધુઓને દ્વાદશાવર્તવંદન વડે વંદન કર્યું, બીજા રાજા કૃષ્ણની સાથે વંદના કરતાં કરતાં થાકીને ચેડા ઘણુ મુનિઓને વાંદીને બેઠા અને વીરકે તે કૃષ્ણની અનુવૃત્તિઓ સર્વ સાધુને વંદન કરી. કૃષ્ણ પરિણામે અત્યંત થાકી ગયા ત્યારે પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ! ૩૬૦ સંગ્રામમાં પણ મને આ