SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર છે, અને જેઓ પોતાના સ્વરૂપને અપૂર્ણ જાણે છે, તેઓને પ્રયત્ન પણ અપૂર્ણ સ્થિતિને અર્થે જ થતું હોવાથી તેઓ અપૂર્ણ રહે છે. આમ હોવાથી જેઓ પિતાને દેખવાળા જાણું વૃથા પરિતાપને સેવે છે, તેઓ દેલવાળા રહીને તેમને પિતાના દેષ ટાળવાને સંભવ આવતું નથી, અને જેઓ પિતાના નિર્દોષ સ્વરૂપના ચિંતનવડે, પિતાનું અહં તે નિર્દોષ સ્વરૂપમાં જ નિરંતર જોડતા રહે છે, તેઓ અલ્પ સમયમાં પિતાને શુદ્ધ નિર્દોષ સ્વરૂપે અનુભવે છે; અને આથી જ સલ્લા સ્ત્રમાં કહ્યું છે કે એક ક્ષણવાર પોતાના શુદ્ધ નિર્દોષ બ્રહ્મવરૂપની ભાવના, એ પાતાના ડુંગરના ડુંગરને પણ ઘાસની ગંજીની પેઠે એક ક્ષણમાં ભસ્મીભૂત કરે છે. કોડે યજ્ઞથી, કરેડે કર્મથી, કરડે દાનથી શાસ્ત્ર મુક્તિ સ્વીકારતું નથી, પણ પિતાના પૂર્ણ સ્વરૂપના યથાર્થ જ્ઞાનથી જ મુક્તિ સ્વીકારે છે. ૪૫. જેમ કૃવામાં ઘડે નાંખ્યા વિના તેમાંથી જળ મળવાને સંભવ આવતું નથી, તેમ આપણું પૂર્ણ સ્વરૂપમાં વૃત્તિને વારંવાર જોડીને, તેની પૂર્ણતાને આપણું અંતર્બાહ્ય પ્રકટ રાખવાનો પ્રયત્ન સેવ્યા વિના પૂર્ણ થવાને સંભવ આવતું નથી. ઘડાને કૂવામાં નાંખી તેને જળમાં ડુબાડે તે જ તેમાં જળ આવે છે, પણ તેને પાણીઉપર હલાવ્યા કરે, અથવા તેને કૂવામાં નાંખે જ નહિ તે તેમાં જળ ભરાતું નથી, તેમ આપણું પૂર્ણ સ્વરૂપમાં આપણું અહં અભિમાનને ડુબાડ્યા વિના, તેમાં તન્મય થયા વિના, તરૂપ જ આપણે છીએ, એ અભ્યાસ સેવ્યા વિના, ઉપર ઉપરથી સ્વરૂપની વાત કરવાથી, સ્વરૂપાકાર થવાતું નથી. જીવત્વના કાંઠા ઉપરથી સ્વરૂપામૃતના કૃપમાં પડ્યા વિના, સ્વરૂપામૃતનો સ્વાદ શી રીતે આવે ? પરંતુ અસંખ્ય મનુષ્યો, આ જીવના કાંઠા ઉપર ઉભા રહી, સ્વરૂપમૃતના રૂપમાં માત્ર દૃષ્ટિ નાંખી, સ્વરૂપામૃતનું પાન કરવા ઈચછે છે. તેઓ પિતાના જીવત્વનું એક ક્ષણવાર વિસ્મરણ કરતા નથી. તેઓ પિતાને નિરંતર દોષવાળા તથા અપૂર્ણ જોયા કરે છે. તૃષાથી અત્યંત પડાયેલા તેઓ ફૂપમાં દષ્ટિ નાંખે છે, પરંતુ તેમાં યાહેમ કરી ઝંપલાવતા નથી. પિતાના પૂર્ણ સ્વરૂપને, પિતાના બ્રહ્મસ્વરૂપને અધિકારવિના જેવું, અધિકારવિના તેમાં અભિન્ન થવા પ્રયત્ન સેવ, એને તેઓ પાપ માને છે. એમ કરવાથી તેઓ, છે તે સ્થિતિમાંથી પણ અધમ સ્થિતિમાં આવશે, એવી ભીતિ ધરે છે. “હું પૂર્ણ શુદ્ધ બ્રહ્મસ્વરૂપ છું, એમ બેલતાં અને માનતાં તેમનું સર્વાગ ભયથી ધ્રુજે છે. આમ બોલવાથી, અને આવી ભાવના કરવાથી ઈશ્વરને મહ અપરાધ થતું હોય એમ તેઓ લેખે છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy