SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] આપણા ઘરમાં અનર્ગળ દ્રવ્ય દાટેલું હોય, પણ તેમાંથી આપણે જ ચાર આના કાઢીએ તે ચાર આના જેટલે જ આપણે ઉપભોગ કરી શકીએ છીએ. નિત્ય દશ રૂપૈયા કાઢીએ તો તેટલા પ્રવ્યવડે પ્રાપ્ત થતાં વ્યાવહારિક સુખે આપણે ભોગવી શકીએ છીએ. નિત્ય હજાર કાઢીએ, લક્ષ કાઢીએ, કે કોટી કાઢીએ તે આપણે મહાનૃપતિથી પણ અધિક વૈભવોને અનુભવ કરી શકીએ છીએ. નિત્ય ચાર આના કાઢતા હતા ત્યારે પણ આપણી પાસે અનર્ગળ દિવ્ય હતું, અને નિત્યના કેટી પેયા કાઢવા લાગ્યા ત્યારે પણ તેટલું જ હતું. આપણુ દ્રવ્યના ભંડારમાં, પૂર્વે કે પછી કોઈ પણ સમયે ન્યૂનતા અથવા વૃદ્ધિ હતી જ નહિ. તે દ્રવ્યકોશ તે અનર્ગળ અને અનર્ગળરૂપે સર્વદા આપણુ પાસે સ્થિત હતા જ. પણ તેને ભંડારમાંથી કાઢવાની આપણા પ્રયત્નની ન્યૂનતા એ જ આપણી, બહાર અનુભવમાં આવતી નિર્ધનતાને હેતુ હતું. જે પ્રમાણમાં આપણે ભંડારમાંથી દ્રવ્ય બહાર કાઢતા ગયા તે પ્રમાણમાં આપણે આપણું શ્રીમાનપણાનો અનુભવ કરતા ગયા. આ જ પ્રમાણે જ્યારે આપણે જડ પદાર્થોમાં હતા ત્યારે પણ સ્વરૂપતઃ આપણે પૂર્ણ હતા, જે સમયે વનસ્પતિમાં આપણે હતા ત્યારે પણ વસ્તુતઃ આપણે પૂર્ણ હતા, જે સમયે પોનિમાં આપણે પશુત્વને અનુભવ કરતા હતા ત્યારે પણ આપણે પૂર્ણ જ હતા, અને આજે આ મનુષ્ય શરીરમાં મનુષ્યરૂપે શોભીએ છીએ ત્યારે પણ, ભવિષ્યમાં દેવશરીરમાં દેવરૂપે શોભીશું ત્યારે પણ, પરિણામમાં સબલ બ્રહ્મમાં સબલ બ્રહ્મસ્વરૂપે સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન સ્વરૂપે વિરાજીશું ત્યારે પણ, અને સર્વની પરાવધિએ દશે દિશાએ અવધિપણે સ્થિત પરમતત્વમાં અભેદરૂપે સ્થિત થઈશું ત્યારે પણ આપણે પૂર્ણ જ હોઈશું. આપણું પૂર્ણ કઈ કાલે જૂનાધિકપણાને પ્રાપ્ત થતું નથી. ૪૪. વસ્તુતઃ મનુષ્ય પૂર્ણ થતાં પોતાનું માપ જેટલા પ્રમાણમાં તે કરે છે, તેટલા પ્રમાણમાં જ તે પિતાને થયેલે અનુભવે છે. પાતાળ કૂવામાંથી લેરી ફાંસનારને લેટી જેટલું જ પાણી મળે છે, ઘડો ફાંસનારને ઘડા જેટલું મળે છે, કેશ જોડનારને કોશ જેટલું મળે છે, અને વરાળયંત્રના જબરા પંપ તેમાં મૂકી દેનારને હજારે વીંઘાં જમીનને પાવા જેટલું જળ મળે છે. પાણુને અમુકને વધારે આપવું કે અમુકને ઓછું આપવું એવું છે જ નહિ. પાણી કાઢનાર પિતાના પ્રયત્નના પ્રમાણમાં જ ન્યૂનાધિક જળ મેળવે છે. પિતાના સ્વરૂપને પૂર્ણ જાણી જેઓ તેની પૂર્ણતા અનુભવવાનો પ્રયત્ન સેવે છે, તેઓ પૂર્ણતાને જ અનુભવે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy