SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ΟΥ ૩ર. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરવા, એ એક એવું રસાયણ છે કે જે મનના અને પરિણામે તનના સર્વ વ્યાધિને મટાડે છે. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ ન હાવાથી જ મનના વિવિધ વિકારા ઉત્પન્ન થાય છે. અમુક મનુષ્ય આપણા અપરાધ કરે છે, ત્યારે ક્રોધ થવાનું કારણ તેના ઉપર આપણા સાચા પ્રેમ નથી હાતા એ જ હોય છે. શુદ્ધ પ્રેમથી ગૂંથાયેલા મનુષ્યને પરસ્પરના દોષો જોતાં પણ ક્રોધ ઊપજતો નથી. દ્વેષ, ઈષાં, ભય વગેરે સવ` વિકારા પણ પ્રાણીમાત્ર ઉપર પ્રેમ ન હોવાનો પરિણામ છે. અને યાગ્ય વિકારોનું મનમાં વારંવાર પોષણ થવાથી જ સર્વ વ્યાધિ ઉત્પન્ન થતા હેાવાથી, પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરવાથી અયાગ્ય વિકારા શમતાં વ્યાધિમાત્ર મટવા સંભવ આવે છે, એ સહજ સ્પષ્ટ થાય છે. એવા કાઈ પણ મનોવિકાર નથી, જે શુદ્ધ પ્રેમથી ન શમે. એવા કાઈ પણ વ્યાધિ નથી કે જે શુદ્ધ પ્રેમથી ન મટે. કારણ કે શુદ્ધ પ્રેમ એ ઈશ્વરનું જ બીજું નામ છે. અને જેના અંતઃકરણમાં શ્વિર પ્રકટે છે, તેને મનના અને તનના વ્યાધિ રહેવા સંભવતા નથી. ૫૪ ૩૩. તમે મનના કે તનના કાઈ વ્યાધિથી પીડાતા હૈ। તે તેનુ કારણ શોધવા વૈદ્ય કે ડોક્ટરને શોધવા જવાની અગત્ય નથી; અથવા તેનું કારણ શોધવા પુસ્તકનાં પાનાં ઉથલાવવાની અગત્ય નથી. તમારા અંતઃકરણમાં પ્રાણીમાત્ર ઉપર પ્રેમ નથી, એ જ તેનું કારણ છે. તમારામાં સર્વાત્મભાવના પ્રકટી નથી એ જ તેનું કારણ છે. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ પ્રકટાવે અને તમારા તનના તથા મનના વ્યાધિ શમી જશે. ૩૪. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ સર્વાત્મભાવના પ્રકટ્યાવિના, પ્રકટતા નથી. મારા જેવા આત્મા છે તેવા જ સ`ના આત્મા છે, મારામાં જે ચૈતન્ય વિસે છે તે જ સંમાં વિલસે છે, હું જે રૂપ હ્યું તે જ રૂપ સ છે, આવેા નિશ્ચય જેના અંતઃકરણમાં અનેક વિચારથી દૃઢ થયા હોય છે તે જ મનુષ્યમાં સર્વાત્મભાવના પ્રકટે છે. અને તે જ મનુષ્ય પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરી શકે છે. જે પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરી શકતા નથી, તેને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. તેઓને પોતાના આત્મસ્વરૂપ ઉપર પ્રેમ નથી. તે આત્માની, ચૈતન્યની, બ્રહ્મની વાતો માત્ર કરનારા હાય છે. ચૈતન્યને જ જો તેઓ પરમ પ્રેમના વિષય માનતા હોય, તે જે ચૈતન્ય પ્રાણીમાત્રમાં વિલસી રહ્યું છે, જે ચૈતન્યના જ આ પ્રાણીમાત્ર ચમત્કાર છે, તે ચૈતન્યના ચમત્કારરૂપ આ પ્રાણીમાત્રના તે દ્વેષ કરે? એકને મોટા અને ખીજાને નાના ગણે? બીજામાં તેઓએ એવુ શું
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy