SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્ન રાશિ ] ૫૩ ખરા સાધક છે, તેઓને જ સુખની ખરી આતુર ઇચ્છા છે. આ વિનાના બીજા ભલે પિતાને બુદ્ધિમાન માનતા હોય તે પણ બુદ્ધિહીન છે. પરમાર્થના પિતાને સાધક માનતા હોય તે પણ તેઓ પરમાર્થના બાધક છે. તેઓને સુખની ખરી આતુરતા નથી, પણ દુઃખની જ ખરી આતુરતા છે. પ્રયત્ન જ યોગ્ય અથવા અયોગ્ય સ્થિતિને આપનાર હોવાથી, સુકે સુખને અર્થે શુભ પ્રયત્નને અનુકુળતા ઉપર મુલતવી ન રાખતાં, પ્રાપ્ત અનુકૂળતા પ્રમાણે, આ ક્ષણથી જ સેવવો, એ જ ઘટે છે. ૩૧. “પ્રયત્ન કરવામાં શું અનુકુળતા નથી જોઈતી? હાથપગ બાંધી લીધા હોય એવી પરાધીન દશામાં હાથપગ હલાવવાનો ઉપદેશ શું યોગ્ય છે? પથારીમાંથી ઊઠીએ ત્યાંથી રાત્રે અગિયાર વાગતાં સૂતાં સુધી પેટ ભરવાના પ્રયત્નની લાહ્યમાં બળતા હોઈએ, તે ઓલિવ યા વિના, પ્રયત્ન ક્યારે કરીએ? અમારે નસીબે આવાં તરીલાં તાણવામાં આવ્યાં છે, માટે જ કહીએ છીએ કે આ પીડામાંથી પરમેશ્વર કંઈ સારો દહાડો દેખાડે તે કહો એટલે શુભ પ્રયત્ન હમણ કરીએ!” આવાં વચનો અનેક મનુ શુભ પ્રયત્ન સેવવાનું કહેતાં બોલે છે, અને પ્રયત્ન કરવાને પિતાને સમય જ નથી, એમ જણાવી પોતાનું દુ:ખનું ધૂંસરું તાણ્યા કરે છે. આવા મનુચોએ સ્પષ્ટ જાણવું જોઈએ કે આવા વિચાર કરી ઉદાસ બેસી રહ્ય પ્રયત્ન સમય કલ્પાંત મળવાને નથી જ, પણ જે સ્થિતિ પ્રાપ્ત છે, તે સ્થિતિમાંથી જ થોડી થોડી અનુકૂળતા કાઢી તે અનુકૂળતામાં શુભ પ્રયત્ન સેવતાં અધિક અનુકૂળ તાને સંભવ આવે છે. મહિને દશ રૂપિયાની આવકવાળો અને તેટલા જ રૂપિયાના ખરચવાળો મનુષ્ય, ધનવાન થવા ઇચ્છતા હોય તે તેણે શું કરવું? મહિને ચાર ચાર આના બચાવવા, એ જ એને ઉપાય છે. અને આમ થોડું થોડું દ્રવ્ય બચતાં, અધિક સંગ્રહ થવા સંભવ આવે છે. પ્રયત્ન કરવાની અનુકૂળતા વિનાના સાધકે પણ એમ જ કરવાનું છે. શૌચન સમય, સ્નાનનો સમય, ભેજનો સમય, અને એવા એવા અનેક પ્રસંગમાં મળતી થોડી થોડી ક્ષણોને સદુપયોગ કરવાનું છે. કાલે નહિ, પણ આજથી જ કરવાનું છે. એ સમયમાં અંતઃકરણને શુદ્ધ વિચારમાં જોડવાનું છે. અને આ અલ્પ સમયની થોડી ક્ષણનો સદુપયોગ થતાં, પ્રયત્નમાટે અધિક અનુકુળતા મળવાને સંભવ આવે છે. પ્રતિકૂળ સ્થિતિવાળાએ અનુકૂળ સ્થિતિ આણવાનો આ જ ઉપાય છે. લમણે હાથ દેઈ, પિતાને પ્રાપ્ત થયેલી પ્રતિકૂળ સ્થિતિમાટે દણાં રડવાં, એ ઉપાય નથી. આશ્ચર્યજેવું એ છે કે આવા મનુને આવાં રોદણાં રડવા માટે પાર વિનાની અનુકૂળતા મળે છે, પરંતુ શુદ્ધ પ્રયત્ન કરવાનો સમય મળતો નથી!
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy