SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધના ] ૨૧ તથા વૃક્ષામાં ધણા મનુષ્યો, શરીર, મન તથા આત્મા એવાં ત્રણ અંગા છે, એમ સ્વીકારતા નથી, તોપણ એક પથરામાં કે એક વૃક્ષમાં એ ત્રણે છે. અણુમાત્રમાં શરીર, મન તથા આત્મા છે. માત્ર જડ પદાર્થામાં મનની કળા, આપણુને પ્રત્યક્ષ થાય એ પ્રકારે પ્રકટેલી હતી નથી, એટલા જ ભેદ છે. પરતુ તે સમાં મન છે, એવા યોગવિત પુષોના અનુભવપૂર્ણાંક નિશ્ચય છે. વનસ્પતિમાં મન હાવાનાં અનેક ઉદાહરણે કુદરતનું અવલોકન કરનારને જડી આવે એમ છે. વેલા, ઊંચે ચઢવા માટે જ્યાં આધાર હાય છે, તે દિશા તરફ પોતાની શાખાઓ નાંખે છે, અને અધારી જગામાં ઊગેલા છેડ પ્રકાશમાં જવાને સતત પ્રયત્ન કરે છે. આ પ્રમાણે વૃક્ષ, પશુ, મનુષ્યો સ, કારણરૂપે તથા કારૂપે સમાન હોવાથી, સંમાં સમાન પ્રેમ રાખવા, તથા સર્વાંના હિતમાં પ્રવૃત્તિ કરવી, એ મનુષ્યનો સ્વધર્મ છે. જ પરમેશ્વર તત્ત્વસ્વરૂપ છે, સર્વવ્યાપક છે, સામર્થ્ય છે, પ્રેમ છે, આનદ છે, એવાં એવાં વચનાથી બાળકષુદ્ધિના અશિક્ષિત મનુષ્યો ગભરાઈ જાય છે. તેઓએ પરમેશ્વરને બે હાથ અથવા ચાર હાથવાળા, પોતાના જેવા શરીરવાળા, અને પોતાની પેઠે જ કાઈ સ્થળમાં રહેતા માન્યા હોય છે, અને તેથી પરમેશ્વ રનું આવું સ્વરૂપ જ્યારે તે જાણે છે ત્યારે તેઓને, જાણે તે અધકારમાં બાથેાડિયાં મારતા હોય એમ ભાન થાય છે. તત્ત્વસ્વરૂપ પરમેશ્વરને સમજવામાં તેમની મતિ પહેાંચતી નથી. પરમેશ્વર મર્યાદાવાળી વ્યક્તિ છે, એવું તેમને સમજાવવામાં આવે છે, તે જ તેમને શાંતિ થાય છે. એથી ઊલટુ; ધણા બુદ્ધિમાન મનુષ્યોને પરમેશ્વર સવ્યાપક, તત્ત્વસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ, વગેરે લક્ષણાવાળા છે, એમ કહેવું એ છે ત્યારે, તે એક વ્યક્તિરૂપ તથા મર્યાદાવાળા છે, એમ કહેવુ ચતુ નથી. પરમેશ્વરનું મર્યાદાવાળું તથા વ્યક્તિવાળું સ્વરૂપ છે, એમ સાંભળી તેઓ ભડકી ઊઠે છે, અને આવું કહેનારને તેઓ અજ્ઞાન ગણી કાઢે છે. વસ્તુતઃ પરમેશ્વર જેમ તત્ત્વસ્વરૂપ છે, તેમ વ્યક્તિસ્વરૂપ પણ છે. તે જેમ સર્વ વ્યાપક છે તેમ મર્યાદાવાળા સ્થળમાં પણ છે. તે જેમ તત્ત્વરૂપે આકારવિનાના છે તેમ ગમે તે આકારને ધરવાના સામર્થ્યવાળા હોવાથી અસખ્ય રૂપોવાળા છે. પ્રાણીપદાર્થ માત્રની ઉત્પત્તિના કારણરૂપે તે તત્ત્વસ્વરૂપ છે, નિરાકાર છે, અમર્યાદ છે, સવ્યાપક છે. વ્યક્તિમાં પ્રકટ થતાં, વ્યક્તિરૂપ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy