________________
૨૦
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
'
જ્યારે અવિનાશી છે ત્યારે આ વિનાશી છે. આપઝુ' વાસ્તવ ‘હું ' જ્યારે સ્વપ્રકાશ છે ત્યારે આ પરપ્રકાશ એટલે જડ છે, અને આપણા વાસ્તવ ‘ હું’ થી પ્રકાશે છે. આપણા વાસ્તવ ‘હું ’ ના ઉપર એ એક આવરણ અથવા પડદો છે એમ કહીએ તે ચાલે. તે મલિન હોય છે તે આપણા વાસ્તવિક ‘ હું ' મા પ્રકાશ બહાર નીકળી શકતા નથી. તે જેમ અધિક સ્વચ્છ અને તેજસ્વી હોય છે, તેમ આપણું વાસ્તવિક ‘હુ’ અધિક શુદ્ધ અને તેજસ્વીપણે પ્રકાશે છે. રજોગુણ અને તમેગુણવડે તે રંગાયતું હોય છે, ત્યારે આપણા વાસ્તવિક ‘ હું ’ નો પ્રકાશ રંગાયલા જણાય છે; જ્યારે તે સાત્ત્વિક અને શુદ્ધસાવિક હોય છે, ત્યારે જ આપણુ` વાસ્તવિક ‘હું ’શુભ્ર, ઉજ્જવલ અને પ્રશાંત સુખમય પ્રકાશથી પ્રકારો છે. મનુષ્યોને મોટા ભાગ, પોતાના વાસ્તવિક ‘હું માં પોતાનુ પોતાપણું માનતા નથી,——તેના અસ્તિત્વનું તેમને ભાન કે જ્ઞાન પણ નથી—પણ આ મનને જ પોતે ‘હું છું' એમ માને છે, અને તેની મલિનતાથી પોતાને મલિન માને છે, તેની જડતાથી પોતાને જડ માને છે, તેન! વિનાશીપણાથી પોતાને વિનાશી માને છે, તેના અપશક્તપણાથી પોતાને અલ્પશક્ત માને છે, સ્વપમાં પોતાનું ખરું ભાન ભૂલી પોતે તે જ છે એમ માને છે.
શરીર એ મનુષ્યનું ત્રીજું અંગ છે. એ ખાદ્ય દૃષ્ટિએ દેખવામાં આવે એવું, તથા સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરી શકાય એવું સ્થૂલ છે. આ શરીર વિષે આગળ ઉપર વિસ્તારથી વણુ ન કરવાનો પ્રસંગ આવનાર છે, તેથી આ સ્થળે, વિસ્તાર કર્યાં નથી. અસંખ્ય જડમતિ મનુષ્યો આ શરીરને જ ‘હું' રૂપે માને છે. શરીરના ભીતર તથા મનના પણુ અંતસ્તમ પ્રદેશમાં રહેલા પોતાના વાસ્તવિક ‘હું ’ ને તેમને સ્વપ્ને પણ વિચાર હોતા નથી.
જે મહાનથી મહાન અને અપાર વિસ્તારવાળા પરમાત્મામાંથી આપણે સવ' આ પ્રમાણે, શરીર મન તથા આત્મારૂપે પ્રતીતિમાં આવ્યા છીએ, જે પરમાત્મામાં આપણે સવ` રહીએ છીએ, અને હરીએ કરીએ છીએ, તથા જે પરમાત્મામાંથી આપણે નિરંતર આપણું જીવન પ્રાપ્ત કરીએ છીએ તે પરમાત્માથી એક ક્ષણ પણ આપણે જુદા નથી. એ પરમાત્મા પ્રાણીપદામાત્રના પિતા છે, અને આપણે સ,-જડ વસ્તુ, વૃક્ષા, પશુઓ તથા મનુષ્યા–પરસ્પર બંધુ છીએ. કારણ આપણે સર્વે એક જ પરમાત્માનાં શરીર, મન, તથા આત્મારૂપે પ્રતીત થયેલાં રૂપો છીએ. જોકે જડ વસ્તુએમાં,