SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વચારરત્નરાશિ ] ૧૫૫ દવસે પ્રાપ્ત થયેલી કાઈ મોટી કાર્યસિદ્ધિના હેતુભૂત હોય છે. આગલે દિવસે શું જ કરવામાં ન આવેલું હાવાથી બીજે દિવસે મેટાં પરાક્રમે ધડવાનાં અનેક ઉદાહરણા છે. ૨૮૮. ઉપરથી પ્રવૃત્તિરહિત દેખાતી સ્થિતિના મોટા ભાગ, પ્રવ્રુત્તિરહિત હોતા નથી. જીવનની સપાટી શાંત જણાતી હોય, પણ અંદરના ઊંડાણના ભાગેા કંઈ અસાધારણની તૈયારી કરતા હોય છે. જેણે જીવનનો સદુપયોગ કરવાનો નિશ્ચય કર્યાં હોય છે, અને તનુસાર જે વતા હોય છે, તેના જીવનમાં આ પ્રકારનું સદા ખન્યા કરતું જ હાય છે. ૨૮૯. વિકાસને પામતા મનવાળા પુરુષને ઘણી વાર એવી ક્ષા આવતી જણાય છે કે જેમાં તેને પોતાનામાં રહેલા સામર્થ્યનું તથા પોતે પ્રાપ્ત કરેલા ગુણાનું ભાન જતું રહ્યુ હોય એમ લાગે છે; આખા શરીરમાં શૂન્યતા ભાસે છે, અને હું જાણે કંઈ જ ન હાઉં, અને આ જગમાં મારા કા જ ઉપયોગ ન હાય, એવું તેને ભાન થાય છે. પરંતુ આ ભાન કેવળ ઉપરટપકેતુ, અને ભ્રાંતિકારક હોય છે; અને બુદ્ધિમાને તેના ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું જોઈએ. આવી ક્ષા સૂચવે છે કે કુદરતને સપાટીઉપરના જીવનને શાંત રાખવાની જરૂર પડી છે; અતરની ઊંડાણના અગાધ પ્રદેશમાં કંઈક થતુ હાય છે. અને જીવનના સધળાં સામર્થ્યાઁ, તે મહાન કાર્યમાં મદદ કરવાને ઊંડાં પ્રવેશી ગયાં હોય છે. આવા સમયમાં જો ખાદ્ય મનને શાંત રાખવામાં આવે છે તે! અંદરના ભાગમાં ચાલતા મહાન કામમાં ડખળ થતુ નથી; અને જ્યારે તે કાર્ય સમાપ્ત થાય છે, ત્યારે પૂર્વના કરતાં પણ વધારે સામર્થ્ય બહાર પ્રકટ થયાનું ભાન થાય છે. ૨૯૦. આવી વિલક્ષણ ક્ષણા આવે છે ત્યારે ઘણા મનુષ્યો ખળાત્કારથી કાર્ય કરવાના પ્રયત્ન કરે છે, પણ આમ કરવું એ જે સામથ્થાની હાલ અંતરના પ્રદેશમાં અગત્ય છે, તેમને સપાટીઉપર આણવું એ છે. વૃદ્ધિના નિયમાથી જે સામાઁ જ્યાં આકર્ષાઈ ને ગયાં છે, ત્યાં જ તેમને રહેવા દો, અને ઘેાડા કલાકમાં પા પ્રત્યાધાત થશે. નવા જીવનનું ભાન થશે, મન પૂના કરતાં વધારે ખળવાન અને વધારે તેજસ્વી થશે, અને જે કામ થાડા સમય ઉપર આપણે કરી શક્યા ન હતા, તે કામ બળાત્કારથી તે સમયે કયુ હોત અને જેવું થાત, તેના કરતાં અનેકગુણ વધારે સારું થશે, એટલુ જ નહિ, પણ પોતાની મેળે અનાયાસ થઈ જશે. આથી, હાનિ થતી નથી, પણ સર્વ લાભ જ થાય છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy