SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર મનુય જાણી શકે એમ છે જ કે પિતાના દષ્ટિબિંદુથી પિતે જે કંઈ કરે છે, તે કરવાના જેમ તેને કારણે હોય છે, તેવાં જ બીજાઓ પણ પિતાના દષ્ટિબિંદુથી જે કામ કરે છે, તે કરવામાં તેમને પણ કારણ હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે વિચારની કોઈ પણ ખરી શ્રેણીમાં તે બીજાઓનાં કામે ઉપર કોઈ પણ પ્રકારની ટીકાને વાસ્તવિક સ્થાન મળી શકે તેમ નથી. ૨૮૪. ભૂલો સંબધી વાત કરવાથી મનમાં ખોટા વિચારોના સંસ્કાર પડે છે. આ સંસ્કારને પરિપાક થતાં તેઓ ભૂલે પ્રકટાવે છે. ભૂલેને ભય ધરવાથી આપણે ભૂલ થવાના માર્ગમાં જ એકદમ ધસીએ છીએ, અને ભૂલે કરીએ છીએ; અને ખરી ભૂલ હોય, છતાં પણ જે ગંભીરપણે આપણે તેમને વિચાર કરીએ છીએ, તે જે કારણથી ભૂલ થઈ હોય છે, તે કારણને આપણે સ્થિર કરીએ છીએ, એટલું જ નહિ પણ સુધારો કરવાના કુદરતના પ્રત્યેક પ્રયત્નને પાછો પાડીએ છીએ. ૨૮૫. ક્ષમા આપવી, એ આવેશથી પ્રકટ મનોભાવ નથી. એ યથાર્થ શાસ્ત્રાનુકૂલ વિચાર છે–સાધન છે. ખરી અથવા ખટી, પ્રત્યેક ભૂલને માટે પિતાને તેમ જ બીજા પ્રત્યેક મનુષ્યને તત્કાળ ક્ષમા આપવાને અભ્યાસ, એના જેવાં વિશેષ લાભકારક આ જગતમાં બીજાં ડાં જ સાધનો હશે. જે મનુષ્ય તત્કાળ ક્ષમા આપે છે, તે પ્રત્યેક પ્રતિકૂળ સ્થિતિમાંથી તત્કાળ મુક્ત થાય છે, કારણ કે બેટા કામની ક્ષમા આપવી, એનો અર્થ જ એ છે કે મનમાંથી ખેટાનું સંપૂર્ણ અભાન કરવું. ક્ષમાના વ્રતનું સેવન એ શુદ્ધિ કરનાર ક્રિયા છે, અને તેની શરીર તથા મન ઉભયઉપર ઉત્તમ અસર થાય છે. ૨૮૬. તમારાથી બને તેટલું સર્વોત્તમ શુદ્ધ વર્તન કરો, અને જ્યારે તમને સમજાય કે કોઈ કાર્યમાં તમારી ભૂલ થઈ છે, ત્યારે વધારે સારું વર્તન કરવાને પૂર્વના કરતાં પણ વધારે દઢ નિશ્ચય કરે. તમારાથી થોડી ભૂલે થશે, અને જ્યારે થશે ત્યારે તેઓ હાનિકારક ફળ ઉપજાવશે તે પહેલાં તેઓમાં સુધારો થશે. જેની આપણને ઇચ્છા હોય છે, તેના તરફ જયારે આપણે સંપૂર્ણ તનમનથી આગળ વધીએ છીએ ત્યારે જેની આપણને ઇચ્છા નથી, તેને આપણે સર્વદા આપણા જીવનમાંથી નાશ કરીએ છીએ. ૨૮૭. કશું પણ નકામું ગયું, એમ માનશે નહિ. જે દિવસે કઈ પણ ઉપયોગી કાર્ય થયેલું આપણને જણાતું નથી, તે દિવસ પણ પ્રસંગે બીજા
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy