SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરાશિ ] ૧૩૩ ૨૨૭. જ્યારે આ સંસાર તમને દુઃખથી ભરેલો લાગે અને જીવવા કરતાં કરવામાં વધારે સુખ રહેલું છે, એમ ભાન થાય, ત્યારે નકક્કી માનજો કે તમારા જ્ઞાનતંતુઓ દુર્બળ પડી ગયા છે, અને તેમને બળવાન કરવાની જ તમારે જરૂર છે. તમને સંસાર દુઃખરૂપ જણાવામાં અને મરણ સુખરૂપ ભાસવામાં આ વિના બીજું કશું જ કારણ નથી. જ્યારે તમારે મજજાશય (જ્ઞાનતંતુઓને સમૂહ nervous system) બળવાન સ્થિતિમાં હોય છે, અને તમારામાં જીવનતત્વ સંપૂર્ણ રીતે ભરેલું હોય છે, ત્યારે જીવવામાં આનંદ જ ભાસે છે, પ્રત્યેક વસ્તુ સુંદર જણાય છે, અને ગમે તેવો પ્રતિકૂળ પ્રસંગ પણ મનમાં વિકળતાને પ્રકટાવતા નથી. તમને જીવવું ગમે છે, અને ઘણાં વર્ષ જીવવું ગમે છે, એટલું જ નહિ પણ તમારામાં રહેલા શ્રેષ્ઠ બળની પરીક્ષા થાય એટલા માટે ભારે દુઃખના પ્રસંગે તમારા ઉપર આવે એવી પણ તમને ઈચ્છા થાય છે. ૨૨૮. મજજાશયને અથવા જ્ઞાનતંતુઓના સમૂહને નીરોગ, બળવાન અને સારી સ્થિતિમાં રાખવાને માટે દિવસમાં બે વાર, દશ કે પંદર મિનિટ મનને તથા શરીરને કેવળ શાંત રાખવાને અભ્યાસ સે. આખા શરીરને સંપૂર્ણ રીતે શિથિલ કરી નાંખે, અને સહજ સ્વભાવથી પૂર્ણ શાંતિ અને વિશ્રાંતિવાળી સ્થિતિમાં પ્રવેશ કરેશાંત થવાને કશે પણ પ્રયત્ન ન કરે; માત્ર શાંતિનું ભાન કરે, અને અંતરમાં શાંતિ અને સ્વસ્થ થવાનો ઉદ્દેશ રાખો. પૂર્ણ શાંતિની કલ્પના કરવાથી, જાણે તેવી સ્થિતિમાં હું છું, એવું ધારવાથી, શાંતિનું ભાન થશે. આ પ્રકારનો અભ્યાસ કરવાથી કુદરતને શરીરના તથા મનના સઘળા ભાગમાં પૂર્ણ સ્વાસ્થને પ્રકટાવવાને અનુકૂળ રોગ પ્રાપ્ત થશે, અને મજજાશયની અશક્તિ, દુર્બળતા કે વ્યાધિને ઉત્પન્ન કરનાર કારણને મૂળમાંથી નાશ થશે. જ્યારે શરીરને અંતર તથા બહિર પૂર્ણ વિશ્રાંતિવાળું કરવામાં આવે છે ત્યારે કુદરતની આરોગ્યને તથા બળને ઉત્પન્ન કરનારી ક્રિયા પૂર્ણપણે ચાલે છે, અને આવી સ્થિતિમાં કુદરત જે લાભ કરે છે, તે જોઈને આણને આશ્ચર્ય થાય છે. ૨૨૯ નિદ્રાકાળે આપણું શરીર તથા મન પૂર્ણ વિશ્રાંતિ લેતી સ્થિતિમાં હોવાં જોઈએ, પરંતુ તેવું હોતું નથી. અને તેનું કારણ એ કે મનની વિકળ સ્થિતિમાં જ ઘણી વાર આપણે નિદ્રાવશ થઈએ છીએ. આથી પ્રાતઃકાળે જયારે આપણે ઊઠીએ છીએ ત્યારે આપણે થાકેલા જ હોઈએ છીએ, અને નિદ્રા પૂર્વે આપણું જ્ઞાનતંતુઓની જેવી શ્રમિત અવસ્થા હતી તેવી જ પ્રાતઃકાળે જાગ્રત થયા પછી પણ હોય છે. પરંતુ જ્યારે પૂર્ણ શાંત થવાને આપણે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy