SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૧૩ ૧૭૬. એ એક સ્થાપિત વાર્તા છે કે જ્યારે સુખનું એક દ્વાર બંધ થઈ જાય છે ત્યારે બીજું ઊઘડે છે. કોઈ કઈ વખત એક નહિ પણ ઘણાં દ્વારા ઊઘડે છે. આ પ્રમાણે દ્વારે ઘડવાં, એ આ પ્રકૃતિમાં સ્થપાયલે નિયમ જ છે. પ્રાણી પદાર્થની ઉન્નતિને માટે એ નિયમ અણુઅણુમાં પ્રવર્તી રહ્યો છે. આખા વિશ્વમાં નિત્ય આગળ વધવાની ઈચ્છા થયા જ કરે છે, અને તેથી કરીને જ્યારે જ્યારે કેઈ મનુષ્યનું ઉન્નતિને પામવાનું એક દ્વાર બંધ થાય છે, ત્યારે ત્યારે તેને માટે બીજું દ્વાર ઉઘાડવાને માટે ઉપરને નિયમ ક્રિયાયુકત થાય છે. આથી સિદ્ધ થાય છે કે વિશ્વવ્યવસ્થામાં જે જે નિયમો છે, તે મનુષ્યનું અહિત કરનારા નથી, પણ એકેએક નિયમ તેનું હિત સાધનારે છે. આથી જે મનુષ્ય સુખની, શાંતિની, વિજયની, અભ્યદયની વૃદ્ધિની અને આરોગ્યની વાતે કરે છે, તે વિશ્વવ્યવસ્થામાં પ્રવર્તતા નિયમોને અનુકૂળ વર્તે છે, અને કુદરતને મહાન ઉદેશ સિદ્ધ કરવામાં તે મદદ કરે છે. અને વિશ્વવ્યવસ્થાપક સત્તાના મદદગાર થવાનું ઉચ્ચ માન સંપાદન કરવાનું કેને ન ગમે ? ૧૭૭. જ્યારે તમે દુઃખની, નિષ્ફળતાની, વ્યાધિની અથવા પાપની વાતે કરે છે ત્યારે તમે વિશ્વવ્યવસ્થાપક સત્તાના નિયમોની અને તેના મહાન ઉદ્દેશની વિરુદ્ધ વર્તે છે. આમ થતાં તમે વિશ્વની પ્રત્યેક વસ્તુની વિરુદ્ધ વર્તો છે, અને તેના પરિણામમાં તેઓ પણ તમારી વિરુદ્ધ વર્તન કરવાની. આથી જે કંઈ કર્યું તમે કરવા માંડવાના તેમાં અવશ્ય નિષ્ફળ થવાના. પરંતુ ઉપર વણે લે માર્ગ ગ્રહણ કરતાં કેવો ઉત્તમ પરિણામ આવે છે! ૧૭૮. બોલનાર અને સાંભળનાર બંને ઉપર શબ્દોની અત્યંત ભારે અસર થાય છે-પછી તે શબ્દ મુખથી બોલેલું હોય, કે મનમાં બોલેલું હોય કે લખેલ હોય. તમારા લક્ષને સારી અથવા નઠારી દિશાતરફ ખેંચવાનું કામ શબ્દ કરે છે, અને જે દિશાતરફ તમારું લક્ષ ખેંચાય છે, તે તરફ તમારું આખું જીવન ખેંચાય છે. આમ હોવાથી શબ્દો બોલતાં અને સાંભળતાં અત્યંત વિચારને કરજે. સુખની, શાંતિની, અને વિજયની જ વાત કરજે, અને તેવી જ વાત સાંભળજે. ૧૭૯. તમે જે વિચારે નિત્ય સેવો છે, તે વિચારેનું તમારી આજુબાજુ એક વાતાવરણ બંધાય છે. આ વિચારનું વાતાવરણએ એક ઘર જેવું હોય છે, અને ઈટમાટીના ઘરમાં જેમ મનુો રહે છે, તેમ આ વિચારના ઘરમાં, ૧૫
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy