________________
૧૧૨
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
૧૭૨. વિજયની જ જ્યાં ત્યાં વાત કરે, અને તમારા સંબંધમાં આવનાર સર્વના હૃદયમાં વિજય પ્રાપ્ત કરવાને આવેશ તમે પ્રકટાવશે. તમારી વાત સાંભળનાર સર્વ મનુષ્યના માનસિક અને શારીરિક બળને વિજયની સિદ્ધિ કરવા તરફ જ તમે ખેંચી જશે. કેઈન આગળ કદી પણ ન વદે કે આ કરવું અશક્ય છે. સર્વ જ શક્ય છે, એમ સર્વના આગળ વધે. જેઓ વિજયની વાત કરે છે, તેઓ વિજયને પ્રત્યક્ષ કરવામાં સર્વદા મદદ કરે છે.
૧૭૩. પ્રત્યેક મનુષ્યને વિજય મળ જ જોઈએ, કારણ કે તે મેળવવાની તેનામાં યોગ્યતા છે. વિજયને કેઈને અધિકાર નથી, એવું છે જ નહિ, બલટે વિજયઉપર સર્વ જન્મથી જ હક છે. આમ છતાં, નિષ્ફળતાનો ભય, એ સર્વને વિજ્યપ્રાપ્તિમાં મોટામાં મોટી આખીલી થઈ પડ્યો છે. વિજયની વાતે કરવાથી આ આડખીલીને તમે દૂર કરી શકશે.
૧૭૪. વિજયપ્રાપ્તિના નવા અને વધારે અનુકૂળ સંભ જ્યાં ત્યાં મળે એમ છે. ભૂતકાળમાં લીધેલાં ભૂલભરેલાં પગલાને ભૂલી જાઓ, અને આ નવા અને અનુકૂળ સંભોની જ વાત કરે. ભૂતકાળમાં બનેલા પ્રસંગેને જે આપણે ભૂલી જતા નથી તે ભૂતકાળમાં તે બનેલા છતાં વર્તમાન કાળમાં જ તે બનતા હોય એમ આપણને ભાસે છે, અને તેથી વીતી ગયેલા દુઃખનું વીતી જવું ન થતાં, તે વર્તમાનમાં ઊભું જ રહે છે. વિજયપ્રાપ્તિના નવા અને વધારે અનુકૂળ સંભવોની વાત, ભૂતકાળની નિષ્ફળતાને ભુલાવે છે, અને વિજય પ્રતિ આપણને પગલાં ભરતા કરે છે.
૧૭૫. વધારે સારાં કાર્ય કરવા માટે લેકે પ્રેરાય એવું કરવામાં જ વાણીને ઉપયોગ કરે. તેઓના આગળ કાળી બાજુ ન ધરે, પણ સર્વદા ઉજળી બાજુ જ ધરે. તેઓનાથી ન થઈ શકે એવાં કામો તરફ તેમનું લક્ષ ન ખેંચ, પણ તેમનાથી થઈ શકે, એવાં કામો તરફ ખેંચે. આમ કરતાં ક્રમે ક્રમે તેઓ વધારે કઠિન કામ કરી શકશે. થઈ શકે એવાં કાર્યો કરવામાં મનુષ્યને જોડી દેવાથી તેઓને સઘળા બડબડાટ અને ફડફડાટ બંધ પડી જાય છે. આ કઠણ છે, અને પેલું કઠણ છે, એ બડબડાટ કરવાની જેમને ટેવ પડી ગઈ હોય છે, તેઓ જયાં હોય છે ત્યાંથી એક ડગલું પણ આગળ વધી શકતા નથી. ઘણે પ્રસંગે તેઓ પાછા હઠતા જતા જોવામાં આવે છે. આથી થઈ શકે એવી વાત તરફ મનુષ્યનું લક્ષ ખેંચવું, એ તેમની ઉત્તરોત્તર અસાધારણ ઉન્નતિ કરે છે.