________________
સ્માઈકનું મૃત્યુ સ્માઈકની તબિયત વધુ બગડતાં, અને તેને ક્ષયરોગ લાગુ થયાની ખાતરી થતાં, નિકોલસ, દાક્તરોની સૂચનાથી અને પોતાના માલિકોના આગ્રહથી તેને ગ્રામપ્રદેશમાં પોતાના જ ગામમાં લઈ ગયો. ખુલ્લા ખેતરની વચ્ચે આવેલું એક મકાન તેણે પસંદ કરીને ભાડે રાખ્યું. તેની આસપાસ, પોતે નાનપણમાં જે મેદાનોમાં ફરેલો-રમેલો, તે બધાં પથરાયેલાં હતાં.
શરૂઆતમાં તો સ્માઈક થોડું હરી ફરી શકતો, એટલે નિકોલસ તેને પોતાના નાનપણની પરિચિત જુદી જુદી જગાઓ બતાવવા લઈ જતો, અને તે અંગે વાતો કહેતો. પછી તો સ્માઈકની અશક્તિ વધતાં તેને એક ઠેલણ-ખુરશીમાં બેસાડીને નિકોલસે ફેરવવાનું શરૂ કર્યું. | નિકોલસ પોતે જે ઝાડો ઉપર ચડતો તે પણ સ્માઈકને બતાવતો; તથા તે ગામનું પોતાનું જૂનું મકાન હતું, ત્યાં થઈને પસાર થતી વખતે, તો તેને રોજ બતાવતો.
એક વાર સ્માઈકને તે કબ્રસ્તાન તરફ લઈ ગયો. ત્યાં તેણે તેને પોતાના પિતાની કબર બતાવી. તે કબર ઉપર છાંયો કરતું એક ઝાડ હતું. તેને અંગે તેણે તેને એવી વાત કહી કે, “એક વખત કેટ એકલી દૂર ચાલી ગઈ અને ખોવાઈ ગઈ. અમે બધાએ તેને શોધવા ચારે તરફ ખોળાખોળ કરી મૂકી. છેવટે તે આ ઝાડ નીચે ઊંધી ગયેલી મળી આવી હતી. મારા બાપુએ તેને ઊંઘતી જ એ ઝાડ તળેથી ઉપાડીને હાથમાં લીધી અને કહ્યું, “હું મરી જાઉં ત્યારે, મારી આ કેટ જ્યાં નિરાંતે ઊંઘી ગઈ હતી, તે ઝાડ નીચે જ મને દાટજો.’ અને અમે પણ બાપુને તેમણે કહ્યું હતું ત્યાં – આ ઝાડ નીચે જ– દાટયા છે!”
૩૨૭