________________
૫૪
નિકાલસના મહેમાનમિત્રા
દરમ્યાન નિકોલસની વફાદારી તથા સમજભરી કામગીરીથી ચિયરીબલભાઈઓ તેના ઉપર પ્રસન્ન થયે જતા હતા, અને બદલામાં તેની તથા તેના કુટુંબની જરૂરિયાત, વગર બોલ્યું – વગર માગ્યે, પૂ જતા હતા. દર રવિવારે થોડી વાર પણ બંને ભાઈઓ કુટુંબની મુલાકાતે ન આવ્યા હોય, તો મિ∞ ટિમ લિકિનવૉટર તો હોય જ, જે રોજ સાંજે ફરવા નીકળે, ત્યારે ‘થાક’નું કારણ બતાવી આરામ કરવા પૂરતું નિકોલસને ત્યાં થોડું ઘણું થોભે જ. અને મિજ ટ્રૅન્કને તો પોતાના કામકાજ અંગે બહાર નીકળ્યો હોય ત્યારે, મધુર અકસ્માતને કારણે જ, અઠવાડિયામાં બે કે ત્રણ વખત સાંજના તે લોકોના બારણા આગળ થઈને જ જવાનું રહેતું, અને તે અંદર જઈ આવ્યા વિના આગળ જતો નહિ.
ટ્રૅન્કની એ મુલાકાતો હવે મિસિસ નિકલ્બીના લક્ષ બહાર ન રહી. અને ઘણી વાર તે કેટને એ બાબતનો ઉલ્લેખ કરી શરમાવી મૂકતી. ખરી વાત એ છે કે, કેટ પોતે પણ એ મુલાકાતોની ઈંતેજારીભરી રાહ જોતી થઈ હતી.
ચિયરીબલ-ભાઈઓ તરફથી વારંવાર મળતી, કહો કે, આકાશમાંથી આવી પડતી નાની મોટી ભેટ-સોગાદની વસ્તુઓ ગોઠવી આપવાનો કે ઉપયોગમાં મૂકવાનો ઈજારો આ ઘરમાં ભલી મિસ લા ક્રીવીનો જ હતો. અને મધુર અકસ્માતથી તે પણ સાંજના મિ∞ ટિમ લિકિનવૉટર આ ઘરમાં ફરવા આવ્યા હોય – નહિ, નહિ, થાક ખાવા આવ્યા હોય, ત્યારે જ આવી પડતી; અને પછી
૨૮૨