________________
१९
બ્રેન્ટમૅન તેને બતાવ્યો છે. તેની તુલનામાં ‘લૉર્ડ ’ અને ‘સર ’ને રજૂ કરીને તેને અનોખો ઉઠાવ આપ્યો છે. પ્રેમભાવ, નેકદિલી, સૌજન્ય, વીરતા, સ્રીદાક્ષિણ્ય, મૈત્રી, કૃતજ્ઞતા, પ્રેમળ ભ્રાતૃત્વ, અને વડીલો પ્રત્યે સ્વતંત્ર આજ્ઞાંકિતતાનો ભાવ – આવા આવા ગુણો જો ધર્મનું હાર્દ હોય, તો તે અર્થમાં નિકોલસ ધર્મવાન છે.
અને એ બધા ગુણોને, નિકોલસ તેની બહાદુરી, હિંમત, નીડરતા, તેમ જ પ્રામાણિક ઉદ્યમિતા તથા કર્મકુશળતા ઇ૦ વડે જે ઓપ આપે છે, — તેથી પેલા ભાવો મિણવત્ જે ચળકાટ પામે છે, તે આ વાર્તાનો મહા રસિક અંશ છે. તે વડે કથાકારની પીછી માનવ ચારિત્ર્યના હાર્દનું એક ઉમદા ચિત્રણ આપે છે.
તેમાંય પોતાની વસ્તુ કે વાતની સત્યતા પર મુસ્તાક રહીને, બસ નિકોલસ ઝૂઝે જ છે! ગમે તેવા ખતરનાક અવ-સંજોગોમાં પણ, પરિસ્થિતિ-વશ થઈને માંડવાળ કે નરમાશનું ડહાપણ તે નથી સમજતો; સહજસ્ફૂર્તિથી કરવા જેવું લાગે તે સત્ય સાહસકર્મ કરે જ છે! એવી એની સત્યવીરતા જોઈને તેને માટે માન ઊપજે છે. અને જ્યારે છેવટે તે બધામાં થઈને હેમખેમ નિકોલસ પાર પડે છે, અને કાળાંઘેરાં વાદળોમાંથી સૂર્ય બહાર આવે એમ અંતે કથાનું મંગળ ભરતવાકય-વસ્તુ આવે છે, ત્યારે પ્રભુની પેલી બિરદવાણી મનમાંથી તરત સ્ફુરે છે—
कौंतेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ।
ધર્મજીવનના અ` સમી મનુષ્યની સત્યપરાયણ શીલ-ભક્તિ કદી તર્યા વિના ન રહે! નિકોલસની કથા આ ાદ્ધા પ્રેરે છે.
આવી. સુરમ્ય માનવધર્મી કથા ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેનો હૃદયપૂર્વક આવકાર કરું છું, અને સંપાદક પ્રકાશકને તે માટે ધન્યવાદ આપું છું.
૧-૭-’૬૫
મગનભાઈ દેસાઈ