________________
.
લે મિઝેરા
સરકારી અમલદાર હોવાથી જ તેના જેટલી મોટાઈ કે ઉદારતા ન દાખવી શકે?
જાવને જીન વાલજિનનો ચહેરો યાદ આવ્યો; તેની પાછળ માં. મેડલીનનું ઉદાત્ત વ્યક્તિત્વ તેને દેખાયું. જાવને લાગ્યું કે, પોતે એ માણસને સામાન્ય ગુનેગાર ગણીને તેનું જીવન ધૂળ મેળવવામાં કોઈ અગમ્ય ભૂલ કરી છે. માં. મેડલીને રખડતા જર્વિસના જે ોડા પૈસા પડાવી લીધા હતા, તેના કરતાં લાખો ગણા વધારે સમાજને પાછા બક્ષિસ આપ્યા હતા. તેણે કોઈ માણસની હત્યા કરી જ ન હતી; ઊલટું પોતાના જાનના જોખમે બીજાઓને જ બચાવ્યા હતા.
છતાં, કર્તવ્યની બાબતમાં આવું ઢીલપણ ધારણ કર્યું ચાલે? કર્તવ્યનો માર્ગ કઠોર છે; અને તેથી જ તેની મહત્તા છે. જાવ≥ હાથમાં આવેલા ગુનેગારને છોડી દઈને સમાજના કાયદાની અવગણના કરી ન હતી? અને તેય શા માટે? પોતાનું જીવન પેલાએ બચાવ્યું હતું તે માટે!
તો શું ફરી પાછા જઈ, જીન વાલજિનને પકડવો? જાવ ઝટપટ નિશ્ચય કરી લીધો. તે પાસેની પોલીસચોકી તરફ ગયો. ત્યાં જઈ એક કાગળ ઉપર કંઈક લખ્યું, અને નીચે પોતાની સહી કરી. પછી તે કાગળ બીજે દિવસે વડી પોલીસ-કચેરીએ પહોંચાડવાનું ત્યાંના પોલીસને કહી, તે સીધો સીન નદીના પુલ ઉપર આવ્યો. પુલની એક કમાન નીચે પ્રવાહમાં ભયંકર તાણ હતું અને તે ભાગમાં હોડી સાથે પસાર થતાં ભલભલા ખલાસીઓ પણ બીતા. જાવ તે કમાન ઉપરના પુલના કડારા ઉપર ચડયો. દૂરથી તે તરફ આવતા એક વટેમાર્ગુએ ભૂતની પેઠે ઊભેલો ઊંચો ઓળો જોયો. તે કાણ છે એ તે બીતો બીતો વિચારવા જાય, ત્યાર પહેલાં તો તે ઓળો ત્યાં ન હતો! નીચે ધડૂમ દઈને ધબાકો સંભળાયો. જોરથી વહેતા પાણીએ પોતા ઉપર પછડાયેલી