________________ ઉમરાવ સભામાં 261 4િનપ્લેઈન હવે ઈ છેડાયો. તે મોટેથી બોલ્યો - “તો શું તમે માનવદુઃખને અપમાનિત કરવા માગો છો, કેમ ? ઇંગ્લેંડના ઉમરાવો, ચૂપ રહો ! તમે તે ન્યાય ચૂકવનારા છો ને ? તે મારી વકીલાત સાંભળો તો ખરા ! હું તમને દયા લાવવા કહું છું, પણ તે તમારી જાત ઉપર ! જોખમમાં કોણ છે? તમે પોતે ! તમે શું જોઈને હસી રહ્યા છો ? ઈશ્વરે તમને ત્રાજવામાં મૂકી તોળવા માંડ્યા છે. કંઈક વિચાર તે કરો. તમે લેકે ખરેખર દુષ્ટ માણસ નથી. બીજા જેવા જ તમે પણ છે - નહિ સારા, નહિ ખરાબ. તમે તમારી જાતને ઈશ્વર માની બેઠા છો; પણ તમારું ઈશ્વરપણું બીમાર થઈ મરવા પડ્યું છે, તે તે જુઓ. દલિત લેકે અને તેમનું દલન કરનારાઓ સરખા જ માનો છે. તમારા પગ તેઓનાં માથાં ઉપર છે, એટલું જ. પણ એ તમારો વાંક નથી. એ સમાજરચનાને વાંક છે. ઇમારત ખરી રીતે રચાઈ છે, એટલું જ. ઉપરના માળનું વજન નીચેના માળને ભૂકો બોલાવી રહ્યું છે. પણ તેથી ઉપરને માળ પણ બેસી પડવાને ને ? એટલે હું કહું છું કે, તમે મોટા છે, તે નમ્ર બને. દયા ધારણ કરે; દલિત લેકેનાં દુઃખે સામે નજર તે કરે ! એ દલિત લેકે બધા દેષિત નથી. તેઓ ત્યાં નીચે છે, તે પણ તમે ઉપર છે એવી જ રીતે ! તેમાં તેમને પણ કશે વાંક નથી. તેથી તમને કહું છું કે, તેઓનાં દુઃખને વિચાર તે કરે. તેમને પ્રકાશ મળતો નથી, હવા મળતી નથી, તેમને આશા નથી અને છતાં તેઓ કશી અપેક્ષા તો રાખે જ છે - અને એમાં તમારે માટે જોખમ રહેલું છે. તમે પોતે જ તેમની મૂક વેદના - કરુણ પરિસ્થિતિ સમજવાને પ્રયત્ન કરો. કારણ કે, તમે એ કાદવથી બહાર છે. તે બધાં પણ માનવપ્રાણીઓ છે, માત્ર મૃત્યુમાં જીવે છે, એટલું જ. તેમનામાં આઠ આઠ વર્ષની છેકરીઓને વેશ્યાવૃત્તિ શરૂ કરવી પડે છે, અને