________________ શ્વિનપ્લેઈન અને ડિયા 125 “એટલે, તું શું કહેવા માગે છે?” વિનપ્લેઈને પૂછયું. “જોવું એટલે સત્યને છુપાવવું એવો અર્થ થતો હોવો જોઈએ.” “ના !' “હા, હા; કારણ કે તું કહે છે ને કે જોનારા ને કદરૂપિ કહે છે!” વિનપ્લેનને આ સાંભળી આનંદ જ થતા : તેણે ડિયાને ભ્રમ દૂર કરવા સાચેસાચ પ્રયત્ન કર્યો હતો, પણ તે આડી થઈને ન માને, તે હવે મારો શો વાંક? હવે હું તેને છેતરું છું એમ તે ન જ કહેવાય ને ! ઉસે એક દિવસ તે બંનેને કહ્યું, “તમારે હવે એકાદ ધર્મ પસંદ કરી લેવો જોઈએ.” “કેમ ?" વિનપ્લેઈને પૂછ્યું. “તો જ તમારા લગ્ન થઈ શકે” “પણ લગ્ન તો ક્યારનાં થઈ ગયાં છે,” ડિયા બેલી ઊઠી. ડિયા સમજી જ શકતી નહોતી કે, તેઓ છે તે કરતાં પતિપત્ની થવામાં વિશેષ શું હોઈ શકે ?