________________ હિંન્ચાર્લી કર્કને તરવારનું કામ. લેડી લાયલને પુત્ર મૅનમથની સામે લડવા ગયે હતો; છતાં તેણે બે બળવાખોરોને પોતાના ઘરમાં સંતાડ્યા હતા, એટલે તેને દેહાંતદંડની સજા કરવામાં આવી. બીજા બળવાખોરે પોતાને જે બાઈએ આશરો આપ્યો હતો તેનું નામ સચ્ચાઈભેર અને માનભેર જાહેર કરી દીધું, એટલે તેને માફી બક્ષવામાં આવી; પણ પેલી બાઈને જીવતી સળગાવી મૂકવામાં આવી. કર્ક એક શહેરના 18 નાગરિકને ફાંસીએ એટલા માટે લટકાવ્યા છે, તે શહેર પ્રજાતંત્રવાદી હતું એની પિતાને જાણ છે, એવી તે શહેરને જાણ થાય! એટલે જેમ્સ-રે જેવો રાજા ઑર્ડ લિનિયસ કન્યાર્થી જેવા બળવાખોરને કંઈકે લક્ષમાં ન લે, એ કેમ બની શકે ? લૉર્ડ લિનિયસ લૅચાલીને પણ એક વખત જુવાની હતી; અને જુવાની હતી એટલે પ્રેમિકા હતી. તે પ્રેમિકાને પુત્ર પણ જો હતો. પિતા દેશનિકાલ થયા તે અરસામાં જ પુત્ર ઇંગ્લેન્ડમાં જન્મે હેઈ, તેણે પિતાને નજરે કદી જોયા ન હતા. એ પુત્ર રાજા ચાર્લ્સ બીજાના દરબારમાં હજારિયા તરીકે મોટે થયો હતો. તે લોર્ડ ડેવિડ ડિરી-મેઈર નામે ઓળખાતો. તેને માત્ર કહેવા ખાતર લે કહેતા કારણ કે તેની મા કંઈક ખાનદાન કુળની હતી. લોર્ડ કન્યાલી સ્વિઝલેન્ડમાં ઘુવડને અવતાર ભોગવી રહ્યો હતો, તે અરસામાં એ પ્રેમિકા સુંદર હોવાથી રાજા ચાર્લ્સ બીજાની પ્રેમિકા બની ગઈ. રાજાએ પિતાની પ્રેમિકાના પુત્રને “કીપર ઓફ ધિ સ્ટીક પોતાની લાકડી સાચવનાર અધિકારી બનાવ્યો. અર્થાત હવે તેને રાજાને ખચે રહેવાનું ખાવાનું મળવા લાગ્યું. એવા એકસો સિત્તેર જણ હતા, અને તેમને પહોળી તરવાર ધારણ કરવાને હક હતો. પછી તેને સેનેરી ફરસી-ભાલે ધારણ કરનાર ચાલીસમાને એક બનાવવામાં આવ્યોઃ અર્થાત રાજાને સંરક્ષક. તે ઉપરાંત તેને રાજાજીના ભેજનટેબલ પર ડિશ ગોઠવવાનો અધિકાર પણ મળે.