SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું. ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે. રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અનિમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપક એ મંગલમૂર્તિ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, હયાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ, રામાયણ માટે “કરગર્ભા' સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગાપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે. આ નવલકથાને કારણે એને નાયક જો વાલા ઐતિહાસિક વ્યક્તિ જેવો થઈ શકે છે.' જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજશને અણિશુદ્ધ કાનુની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતો પોલીસ ઑફિસર કાનનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતે ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ઘર્મની વિફલતા બને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે. આવી વિશ્વમાન્ય નવલકથા ઉત્તમ રીતે ગુજરાતીમાં આણી આપનાર મારા જૂના સાથી શ્રી ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨–૧૦-૬૩. काका कालेलकर
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy