SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મન કુદકો મારીને ઝડપી લે એવી ચોપડીઓ વર્ષે કે દાયકા પછી વાંચવામાં આવી હોય તો તે શ્રી. ગોપાળદાસ પટેલની ગુરુ નાનકની વાણી, સંત કબીરની વાણી, સંત મલુકદાસની વાણી, દાદૂ ભગતની વાણી, દરિયા ભગતની વાણી, જપમાળા, પંજjથી, જપજી, સુખમની, ભાગવત, યોગવસિષ્ઠ, સરસ્વતીચંદ્ર, લે-મિઝરાષ્પ, થ્રી-મસ્કેટિયર્સ અને તેમની બીજી વિશ્વ-કથાઓ. તા. ૨૭-'૯૯ ૫૦ છોર. પટેલ ગોપાળદાસની ત્રીજી પુણ્યતિથિ બાબા મલૂકદાસની વાણું એશે રજનીશ કિ. ૨૫-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ મસ્તીનું ધમ-સરોવર [પ્રકાશકનું નિવેદન] દેશ-પરદેશના ચૂંટી કાઢેલા સંતો, ભક્તો, સૂફી અને ફકીરોનાં ગુણગાન કરીને રજનીશજીએ જગતના કેટલાય લોકોને ધન્ય કરી દીધા છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, તેની આખા શરીરની જૂની ચામડી ઊતરી જઈને જાણે આખી નવી ચામડી આવી ગઈ – જાણે પતે બીજી કોઈ નવી વ્યક્તિ જ બની ગયો. જોકે આ પરિણામ આવવામાં વ્યાખ્યાનના વિષય કરતાં કે શ્રોતા એની કક્ષા કરતાં વ્યાખ્યાન આપનારનું વ્યક્તિત્વ જ મુખ્ય ભાગ ભજવતું હેવું જોઈએ. નહિ તો એટમ અને સેટેલાઈટેના આ યુગમાં બાવા-ફકીરના ચરિત આટલો રસ ન જમાવે. રજનીશજીએ કેટલાંક વ્યાખ્યાને અંગ્રેજીમાં તથા કેટલાંક હિંદીમાં આપ્યાં છે. એ બધાં વ્યાખ્યાને દેશની બધી પ્રાદેશિક ભાષામાં ઉતારીને પ્રકાશિત કરવાં જોઈએ. આમેય આ બધા સંત-ફકીરો જુદા જુદા પ્રદેશના જ હોય છે. ગુજરાતમાં બાવો અખંડાનંદ એ નીકળે જેણે “સતી' ગીતાથી શરૂઆત કરીને મોટાં મોટાં પુરાણ, તથા મહાભારત જેવા તોતિંગ ગ્રંથ પણ, વેચાશે કે નહિ, તેની પરવા કર્યા વિના, ધડાધડ પ્રકાશિત કરવા માંડયા. પછી તે “વિવિધ ગ્રંથમાળાને નામે ઉપયોગી તથા વાંચવા
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy