SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ १४ અને વાણિજ્યની વિદ્યાશાખામાં અંગ્રેજી એક ફરજિયાત વિષય તરીકે ચાલુ રાખવાના નિર્ણય કર્યો હતા. સ્વ. શ્રી. ગોપાળદાસ પટેલનું ઋણ ગુજરાત કયારેય પણ પૂરેપૂરું ચૂકવી શકશે નહિ એમ તેમણે સંપન્ન કરેલ વિશ્વસાહિત્યની ત્રીસ કરતાં પણ વધુ કૃતિઓના શ્રધ્ધેય અનુવાદો, સંક્ષેપ। (તેમાં ગો. મા. ત્રિપાઠી કૃત ગુજરાતની પ્રશિષ્ટ નવલક્થા “સરસ્વતીચંદ્ર”નો પણ સમાવેશ થાય છે) રસાળ, વિશદ અને સુભાગ્ય શૈલીમાં તૈયાર કરવાનું ભગીરથ કાર્ય એકલે હાથે, અને તે પણ છેલ્લાં થેાડાંક વર્ષો દરમ્યાન તેમની અસ્વસ્થ, લગભગ પથારીવશ સ્થિતિમાં ભારે કૌશલ્ય અને ધીરતાપૂર્વક, એકલે હાથે, ગ્રીનીઝ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં શ્રી. ગોપાળદાસને ગૌરવવંતુ સ્થાન અપાવી શકે તેવી વિપુલતા અને ગુણવત્તા ધરાવતું આ મહાકાર્ય સંપન્ન કરેલ છે. ઉત્તમ કક્ષાના અનુવાદક માટે સ્વ. કાકાસાહેબ કાલેલકરે “ સવ્યસાચી ” શબ્દપ્રયોગ યથાર્થ રીતે જ વાપર્યો છે. બેઉ ભાષામાં ઉચ્ચ પારંગતતા અને અનુવાદ સંક્ષેપના વિષયને આત્મસાત કરવાની કળા સિદ્ધ કર્યા સિવાય આવાં કાર્યો થઈ શકતાં નથી એ દેખીતું છે. સ્વ. ગોપાળદાસ પટેલ ખરે જ ગુજરાતી સાહિત્ય-જગતના “ સવ્યસાચી હતા. 32 સદ્દગત મુ. શ્રી. મગનભાઈ દેસાઈ અને સદૂગત મુ. શ્રી. ગોપાળદાસ પટેલને વિનમ્રભાવે મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ સમર્પવાની આ તક હું લેવા ઇચ્છું છું. ડૉ. વિહારીદાસ પટેલ અને તેમના આખા પરિવાર આ કાર્યમાં ઉત્સાહથી રસ લઈ પાતાના પિતાશ્રીના અમૂલ્ય વારસાના 'લાભ' `ગુજરાતની પ્રજાને આપે છે, તે માટે તેમને પણ અંતરથી ધન્યવાદ આપું છું. વિદેશી સાહિત્યકૃતિઓ ઉપરાંત ભારતની કેટલીક સાહિત્યકૃતિને પ્રસ્તાવનાઓના સમાવેશ સંપુટમાં કરવામાં આવેલ છે, તેમાં નીચેની મુખ્ય છે છે. લેખક શ્રી. મગનભાઈ દેસાઈ ગુરુદત... ક્રમાંક ૧. ૨. 3. ૪. ૫. ૬. પુસ્તકનું નામ ગીતાનું પ્રસ્થાન કુટુંબ પરિવાર પ્રેમનાથ ભ્રષ્ટાચારને માર્ગે ધન અને ધરતી ગંગાજળ ગુરુદત્ત ગુરુદત્ત ગુરુદત્ત ગુરુદત્ત મ
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy