________________
જુગારીની દુહિતર
૧૧૦ માનવી ઉત્પન્ન કરે છે, તે માનવીની ભીષણતા પણ સાથે સાથે નિરૂપાઈ જાય છે.
અલબત્ત, આ નવલકથામાં નાયક-ઉપનાયક જેવાં બે મુખ્ય પાત્રો છે – નેલ અને તેના દાદા. તે બેની આસપાસ જ આખી વાર્તા વિસ્તરે છે. તેમાંય નેવની નિર્દોષતા તેમ જ દઢતાનું નિરૂપણ એવી કુશળતાથી કરાયું છે કે, એવા અસાધારણ ગુણ તથા શકિત એવી નાની બાળકીમાં હેય એ આપણને એક ક્ષણ પૂરતું પણ અસંભવિત નથી લાગતું. ઉપરાંત પહેલાં કહી આવ્યા છીએ તેમ મુખ્ય પાત્રોને “રસ્તે ચાલતાં જ બીજાં પાત્રો મળે છે, તેમનું નિરૂપણ પણ એટલી જ કુશળતાથી થયું હેઈ, તે ભાગ પૂરતાં તે પાત્રો મુખ્ય પાત્રો જ બની રહે છે. એ બધાં મુખ્ય પાત્રો જ નવલક્થાકારને વિવિધ સપ્તરંગી વસો બહેલાવવામાં સાધનરૂપ થઈ પડે છે. અને છેવટે બધા રસોની વિશ્રાંતિરૂપ શ્રેષ્ઠ “શાંતરસ’ રેલાવવામાં પણ!
વિશ્વ-સાહિત્ય અકાદમીને આવી સર્વભક્ષી મોંઘવારીના સમયમાં આ અનેખી નવલકથા પ્રકાશિત કરવા બદલ ધન્યવાદ! ગુજરાતને વાચક વર્ગ કે ધનિક વર્ગ આવી ઉત્તમ નવલકથા ગુજરાતીમાં પ્રકાશિત થયે જાય છે માટે એક યા બીજી રીતે જોઈને ટેકે અકાદમીને પૂરો પાડશે, એવી આશા સાથે વિરમું છું. તા. ૨-૭-'૯૮
પુછે છે. પટેલ ગોપાળદાસ પટેલની બીજી પુણ્યતિથિ