________________
ડૉન કિવકસોટ!
""
66
નાઈટપણાના સોગંદો ખાઈને કહું છું કે, આ છોકરાના માગતા પૈસા હું તેને મારે ઘેર લઈ જઈ, અત્તરથી ધોઈને જરેજર ચૂકવી દઈશ.” ડૉન કિવકસોટૅ ઉદારતાથી કહ્યું, “તમારે નાઈટ-મહાશય, તમારું અત્તર નાહક બગાડવાની જરૂર નથી. તમે તેને સાદેસાદા પૈસા આપી દેશો, તો પણ બસ છે. પરંતુ, ખબરદાર, ડૉન કિવસોર્ટ હવે હુંકાર કરીને કહ્યું, ‘જો તમે તમારા સોગંદને બેવફા નીવડયા, તો યાદ રાખજો કે, હું મારા નાઈટ-પણાના એવા જ આકરા સોગંદ ખાઈને તમને કહું છું કે, તમે ઘિલોડીની પેઠે ગમે ત્યાં છુપાઈ ગયા હશો, તો પણ ત્યાંથી હું તમને શોધી કાઢીને તમારું તુચ્છ માથું ધડથી જુદું કરી નાંખીશ; કારણ કે પોતાના સોગંદને બેવફા નીવડનાર નાઈટને જીવતો ન રહેવા દેવો, એ બીજા નાઈટનું પરમ કર્તવ્ય છે. હું અન્યાયોને દૂર કરનાર તથા અત્યાચારોનો બદલો લેનાર ડૉન કિવકસોટ લા-માંશા છું.”
૨૨
આટલું કહી, તેમણે રોઝિનૅન્ટીને રસ્તા તરફ એડી મારી; એ ઘોડો પણ, ઘર તરફ જતાં આ જેટલું આડું ફંટાવું પડયું હતું તેનો બદલો લેવા, ચાર પગે ઊપડયો.
,
પેલો ખેડૂત ડૉન કિવકસોટને ચાલ્યો ગયેલો જોઈ, તરત પેલા છોકરા પાસે ગયો, અને તેને માયાળુતાથી કહેવા લાગ્યો, “ચાલ બેટા, ‘અન્યાયોને દૂર કરનાર તથા અત્યાચારોનો બદલો લેનાર' મહાવીરે જે હુકમ કર્યો છે, તે મુજબ હું તારા બધા પૈસા તરત ચૂકતે કરી આપું.” આમ કહી તેણે પેલા છોકરાને પકડીને ફરીથી ઝાડ સાથે તાણી બાંધ્યો અને એટલો નિર્દયપણે માર્યો કે, તેનામાં જીવ જેવી ચીજ ભાગ્યે બાકી રહે.
“હવે તારા નાઈટ-સાહેબને મારું ડોકું કાપી લેવા બોલાવવા હોય તો બોલાવજે” એમ કહી તેણે તેના બંધ છોડી નાંખ્યા, અને બોચીઓથી પકડી જોરથી તેને ખેતર બહાર ધકેલી મૂકયો.
પેલો છોકરો થોડે દૂર જઈ, ડૉન કિવકસોટ લા-માંશાને પાછા ફરવા બૂમો પાડતો, જોરથી તે ગયા હતા તે દિશામાં દોડયો.
ડૉન વિકસોટે આ પ્રમાણે એક અત્યાચારીના હાથમાંથી એક પીડિતને બચાવ્યો, અને તેને થયેલો અન્યાય દૂર કર્યા.