________________
ડૉન કિવકસોટ !
માગણીથી દૃઢ થઈ. બીજી કોઈ રીતે આ ગાંડા માણસ સાથે કામ લેવું શકય માની, તેણે તેને ફાવતું કરી, તેની પંચાતમાંથી છૂટવાનો નિર્ણય કર્યા. તેથી તેણે કહ્યું, “તમારા આવા ઉમદા ધ્યેયથી હું બહુ પ્રસન્ન થયો છુ, અને હું જરૂર તમારો દીક્ષાવિધિ કરીશ. હું પોતે પણ યુવાનીમાં આ રીતે જ દીક્ષિત થઈ સ્વચ્છંદે ચોમેર વિચરતો હતો, અને તે દરમ્યાન મેં ઘણી યુવાન સ્ત્રીઓનાં અને વિધવાઓનાં દુ:ખ હર્યાં છે, તથા ધનપતિ થઈ બેઠેલાઓનો ભાર ઓછો કર્યો છે. સ્પેનના રાજદરબારમાં અને ખાસ કરીને તેનાં ન્યાયાલયોમાં તેથી હું બહુ જાણીતો બની ગયો હતો. એમ કરતાં કરતાં છેવટે હું આ કિલ્લામાં આવી, નિવૃત્ત જીવન ગાળી રહ્યો છું; તથા મારા જેવા બીજા જે મુક્ત સંચારવાળા લોકો અહીં આવી ચડે છે, તેમને બધી રીતે મદદ કરી, તેમના કીર્તિ-ધનમાં ભાગ પ્રાપ્ત કરું છું. પણ મારા આ કિલ્લામાં રાતે શસ્રો સમક્ષ જાગરણ કરી શકે તેવું દેવ-મંદિર અત્યારે મોજૂદ નથી —કારણ કે, તેને નવું બાંધવા તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ આપદ્-ધર્મ તરીકે શસ્ત્ર-જાગરણ બીજે કોઈ પણ સ્થળેય થઈ શકે, તેથી તમે મારા ગઢના વાડામાં નિરાંતે એ જાગરણ કરો.
૧૪
""
પછી વીશી-વાળાએ તેમને પૂછ્યું કે, તેમની પાસે કંઈ પૈસાબૈસા છે કે નહિ. ત્યારે ડૉન કિવકસોટે જવાબ આપ્યો કે, તેમણે વાંચેલાં પુસ્તકોમાં કયાંય ‘નાઈટ'-લોકો પોતાની પાસે પૈસા લઈને વિજ્ય-યાત્રાએ નીકળ્યા હોય એમ જાણ્યું નથી.
વીશીવાળાએ જવાબમાં કહ્યું, “નાઈટ-લોકો કદી ‘સ્કવાયર’ કે પાસવાન સાથે રાખ્યા વિના વિજ્ય-યાત્રાએ નીકળતા જ નહિ; અને સ્કવાયર લોકોની પાસે થેલીમાં પૈસા તેમ જ ઘા રૂઝવવાની દવાઓ વગેરે હોય જ. કારણ કે, દાનવો સાથેનાં યુદ્ધોમાં ઘાયલ થવાય ત્યારે બધા નાઈટોને કંઈ ઋષિઓ કે કીમિયાગરો પ્રસન્ન થયેલા હોતા નથી, કે જેઓ કોઈ અપ્સરાને કે વામણાને જાદુઈ દવા લઈને આકાશમાર્ગે મોકલી આપે — જેનાથી કપાઈ ગયેલા હાથ સંધાઈ જાય, તૂટી ગયેલા પગ જોડાઈ જાય, તથા ચિરાઈ ગયેલી ચામડી રુઝાઈ જાય. માટે હું તમને આદેશ આપું છું કે, હું તમને દીક્ષા આપીને પ્રેમ-શૌર્યની બાબતમાં મારા પુત્ર