________________
બાસિલોના તરફ
૨૬૩ સામનો પણ તે વખતે મારાથી થાય તેમ ન હતો. તેથી હું આ રીતે એમાંના થોડાકનો બદલો લઈ રહ્યો છું. અલબત્ત, મારે હવે આજીવિકા માટે જ ઘણું ઘણું ખોટું આદરવું પડે છે; પણ હું સ્ત્રીઓ-અનાથો-વગેરેની નાહક પજવણી કરતો નથી; તથા જેઓ સીધેસીધું પોતાની પાસેનું આપી દે છે, તેમને વૃથા મારપીટ કરતો નથી. ઉપરાંત, કોઈની પાસેનું લઈ લેતી વખતે હું એટલું તો જોઉં છું કે, તેની પાસે તેના જીવન માટે જરૂરી હોય એટલું તો રહે જ. અલબત્ત, મારે કેટલીક વખત મારા સાથીઓનાં ઘણાં કૃત્યો પ્રત્યે આંખમિચામણાં કરવાં પડે છે; તથા મારા જેવા બીજાઓની ટોળીઓને સાથ પણ આપવો પડે છે. પરંતુ બનતા લગી હું જરૂર વગરનો અત્યાચાર ટાળવા પ્રયત્ન કરું છું.”
ડૉન કિવકસોટને આ બહારવટિયાની આવી બધી સિદ્ધાંતની વાતો સાં મળી આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. તેમણે કહ્યું, “ભાઈ, પોતાના દરદનું ભાન હોવું, એ પણ તેમાંથી મુક્ત થવાને રસ્તે જવાનું જ લક્ષણ છે. એટલે જો તમે તમારી અત્યારની સ્થિતિ વિશે આવો પાપીપણાનો ખ્યાલ કાયમ રાખ્યા કરશો, તો જરૂર ભગવાન તેનો કંઈ ને કંઈ ઉપાય બતાવશે. પણ જો તમારે તમારા દરદમાંથી એકદમ જે મુક્ત થવું હોય, તો તમે તમારો આ ધંધો છોડી દઈ, મારી પાસે નાઈટપણોની દીક્ષા લઈ લો; તો થોડા વખતમાં તમારાં બધાં પાપ ધોવાઈ જશે અને તમે સારી કીર્તિ પણ મેળવી શકશો.”
રૉકને અત્યાર આગમચ ડૉન કિવકસોટના ધૂનીપણાની ખબર પડી ગઈ હતી; એટલે તે જવાબમાં માત્ર હસ્યો.
થોડી વારમાં તેના માણસો પેલી મંડળીને પકડીને ત્યાં લઈ આવ્યા. બે સદગૃહસ્થો ઘોડા ઉપર હતા, બે યાત્રીઓ પગપાળા હતા, અને એક ઘોડાગાડીમાં સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓના છએક નોકરો પગપાળા હતા અને એક જણ ઘોડા ઉપર હતો. બીજા બે ખચ્ચરવાળા પેલા સદગૃહસ્થના નોકરો હતા.
રૉકે પ્રથમ પેલા સદ્ગૃહસ્થોને પૂછયું, “તમે લોકો કોણ છો? કયાં જાઓ છો, અને તમારી પાસે કેટલા પૈસા છે?”
તેમણે જવાબ આપ્યો, “અમે સ્પેનિશ પાયદળ પલટનના કેપ્ટનો