________________
ડચૂકને ત્યાંથી વિદાય
૨૫૭
પછી જ્યારે સાન્કો ખાઈ રહ્યો, ત્યારે ડૉન કિવકસોટે તેને સમજાવીને કહ્યું, “ભાઈ, મારું મન બહુ મૂંઝાઈ ગયું છે, તે હું જરા ઊંઘી જઈને શાંત પાડું, તે દરમિયાન તું બાજુએ જઈ, બસોત્રણસોએક ફટકા ખાઈ લે; જેથી લેડી,ડુલસિનિયાનું દેવું ધીમે ધીમે ઓછું થતું જાય. એ દેવું જ્યાં સુધી આપણા માથા ઉપર છે, તથા જ્યાં સુધી લેડી ડુલિસનિયા પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરી, આપણી વિજ્ય-યાત્રાને આશીર્વાદ આપતાં નથી, ત્યાં સુધી આપણી આવી ફજેતી થયા જ કરવાની; અને આપણા દુશ્મન જાદુગરો આપણને સતાવ્યા જ કરવાના. બાકી તો, આપણી કીર્તિ જ્યાં ત્યાં કેવી ફેલાઈ ગઈ છે, તેનો પુરાવો તને હમણાં જ મળ્યો.
""
C
સાન્કોએ જવાબ આપ્યો, “હું પણ આ સાંઢોના પગમાં ખૂબ રગદોળાયો છું, એટલે એવા ઘાયલ શરીરે ફટકાનો વધુ માર ખાઈશ તો મરી જઈશ. માટે હમણાં મને ઊંધીને તાજો થવા દો. જીવતા હોઈશું તો સૌ સારાં વાનાં જોઈશું.' · જાતે મરીને બીજા ઉપર ઉપકાર ન કરાય.’ પહેલી જાત અને પછી બીજું બધુંય.’ ‘સબ સબકી સમાલિયે !’ મારે પણ મારાં બૈરી છોકરાં સંભાળવાનાં છે! · ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને માગનારને આટો!"
સાન્કોના મોંમાંથી નીકળવા લાગેલી કહેવતોથી જ ત્રાસીને ડૉન કિવકસોટે તેની વાત કબૂલ રાખી.
તેઓએ પાછલે પહોરે પોતાની મુસાફરી ફરી શરૂ કરી. તેઓએ કોઈ વીશીએ જઈ પહોંચવાનો જ મનસૂબો રાખ્યો હતો. હવે વીશીને વીશી કહેવા જેટલા નાઈટ ડાહ્યા થયા હતા! .
એક વીશી આવી પહોંચતાં ઉતારાનો કમરો નક્કી કરી, ડૉન કિવકસોટ તેમાં ગયા, અને સાન્કો જાનવરોને બંધાવી વીશીવાળાને પૂછવા લાગ્યો, “વાળુમાં શું શું મળશે?”
“અરે તમો સાહેબ જે ફરમાવો તે–આ, આ, આ, આ, આ, દરેક વસ્તુ, મહેરબાન.”
વીશીવાળાએ ગણાવેલાંમાંથી એક પસંદ કરી, સાન્કોએ તેનો ઑર્ડર આપ્યો, ત્યારે વીશીવાળાએ જરા વિચારમાં પડી જઈ કહ્યું, “અરે, એ