________________
૨૩૬
ડૉન કિવકસોટ! ડૉન કિવકસોટે તેને ધીમેથી કહ્યું, “આજે મારા ઓરડામાં તમારી સખીનું તંતુવાદ્ય મૂકી જજો. હું રાતે બગીચા તરફની બારીએથી કવિતા સંભળાવીશ; તેથી તમારી સખીનું દરદ દૂર થશે.”
ડૉન કિવસોટ ચાલ્યા ગયા એટલે આલ્ટિસિડોરા તરત ભાનમાં આવી ગઈ. પછી તેઓએ લૂક અને ડચેસને મળી, રાતે નવું જ તોફાન કરવાનું વિચાર્યું.
રાત પડી એટલે ડૉન કિવકસોટે બગીચા તરફની બારી ઉઘાડી. તેમણે બગીચામાં બે જણ ફરતાં હોય તેવો અણસાર સાંભળ્યો, એટલે તરત એક પ્રેમ-ગીત ગાવા માંડયું. તેનો ભાવાર્થ એવો હતો કે, પરદેશીઓ સાથે સુંદરીઓએ ઝટ પ્રીત કરી ન બેસવી જોઈએ; એના પરિણામે કેવળ દુ:ખી થવાનું જ આવે છે. કારણ કે, પરદેશી તો મોડો વહેલો ચાલ્યો જે જવાનો. ઉપરાંત, આ પરદેશી તો ટૉબોસન સુંદરીને પોતાનું હૃદય અપી બેઠો છે; હવે હે પ્રિય સુંદરી, હું તમારા પ્રેમભર્યા હદય આગળ બિછાવવા બીજું હૃદય કયાંથી લાવું? પ્રેમના ખેલ કેવા ન્યારા છે? હું જેને માટે તડપે છે, તે તો બિલકુલ નિષ્ફરપણે મારા તડપાટને અવગણી રહી છે; ત્યારે બીજી કોઈ મારે માટે તડપી કરે છે. તે પ્રેમના દેવ! તારી આ નાદાની હવે છોડ, અને જુવાન હૃદયોને શાંતિથી જંપવા દે !”
ડભૂક–ડસ-આલ્ટિસિડોરા વગેરે સૌ આ ઉત્તર-ગીત સાંભળી રહ્યાં હતાં; તેવામાં નાઈટની બારી ઉપરના ખુલ્લા ઝરૂખામાંથી એક દોરડું નીચે ઊતર્યું. તે દોરડાને સેંકડો રણકતી દાંટડીઓ બાંધેલી હતી. પછી તરત. જ, પૂંછડીએ નાની ઘંટડીઓ બાંધેલી બિલાડીઓનો એક કોથળો તે દોરડા ઉપર ઠાલવવામાં આવ્યો. બિલાડીઓ બીકની મારી ઘૂરકતી ગાને ઘંટડીઓ હલાવતી, એ દોરડાને આધારે નહોર ભેરવી ભયની મારી નીચે સરકવા લાગી. એ બધો અવાજ એવો વિચિત્ર થયો કે, અંધારી રાતે કોઈ પણ છળી મરે. બનવાકાળ, તે બે ત્રણ બિલાડીઓ કમનસીબે નાઈટની બારીએથી તેમના ઓરડામાં પણ ઘૂસી ગઈ. નાઈટ પણ બન્યા અને તરવાર પકડી બારી આગળ પટ્ટા ખેલતા બોલવા લાગ્યા, “આવો શયતાન જાદુગરો, તમે ગમે તે વેશ લઈને મને સતાવવા આવશો, પણ હું ગભરાતો નથી; મારી અને તમારી વચ્ચે હવે આ આખરી લડાઈ છે.”