________________
નવા પ્રયાણને નિરધાર
પાદરી-બુવા અને હજામ રોજ ડૉન કિવકસોટને ઘેર આવી તેમની ભાણીને અને કામવાળીને મળી જતા, તથા તેમની તબિયતના સચાચાર પૂછી જતા; પરંતુ ડૉન કિવકસોટને પોતાને એક મહિના સુધી તેઓ મળ્યા નહિ. તેમને જોઈ કદાચ ડૉન કિવક્સોટને પાછલી વાતો યાદ આવે, અને ફરીથી તે પોતાનું વિજ્ય-પ્રયાણ આદરવા તૈયાર થઈ જાય એ બીકે!
પછી જ્યારે તેમને ખાતરી થઈ કે, હવે તે શાંત પડયા છે, તથા શાંતિથી વાતચીત કરે છે તથા સાંભળે છે, ત્યારે જ તેઓ તેમને મળ્યા. તેઓએ નક્કી કર્યું હતું કે, ડૉન કિવકસોટ સાથે બીજી બધી બાબતોની વાતો કરવી, પરંતુ નાઈટ લોકો અંગેની વાતનો પ્રસંગ જરા પણ છેડવો નહિ.
તેઓ આવતા ત્યારે, ડૉન કિવક્સોટ અને તેમની વચ્ચે રાજ્યવહીવટ, રાજ્યશાસન, કાયદા-કાનૂન, ગુનેગારોને સજા વગેરે બાબતો વિષે લાંબી લાંબી વાતચીતો ચાલતી; તથા તે બધી ચર્ચાઓમાં ડૉન કિવકસોટ સમજપૂર્વક ભાગ લેતા.
એક વખત પાદરી-બુવાએ ખબર કહી કે, તુર્કસ્તાનનો બાદશાહ મોટા લશ્કર સાથે ચઢાઈ કરી રહ્યો છે એવા સમાચાર આવ્યા છેઅને તેથી આખા ખ્રિસ્તી જગતમાં હલચલ મચી રહી છે. સ્પેનના રાજવીએ પણ કિનારાના તથા સિસિલી-નેપલ્સ વગેરે ટાપુઓના સંરક્ષણ માટે ખાસ પગલાં ભરવા માંડયાં છે.
ડૉન કિવકસોટે તરત જ કહ્યું, “આ બધાં પગલાં ભરો પણ એનું નામ કંઈ નહિ. રાજાએ તો પોતાના રાજ્યના નાઈટ-લોકોને જાહેર ઢંઢેરાથી રાજદરબારમાં બોલાવવા જોઈએ, અને તેમને તુર્કોની
૧૫૫