________________
ડૉરોધિયાની વીતકકથા
૧૧૯ બારણું અંદરથી બંધ કરી દીધું. છેક સવારે પેલી ફૂટેલી દાસી આવીને તેને છાનોમાનો બહાર લઈ ગઈ.
બીજી રાતે પણ તે તેવી જ રીતે આવ્યો. મેં તેને હવે મારા પિતાને કહીને જાહેરમાં મારા હાથની માગણી કરવા વિનંતી કરી. તેણે તરત જ એ કબૂલ કર્યું. પરંતુ ખરી રીતે તેનો એવો કશો ઇરાદો જ ન હતો. એ તવંગર જુવાનિયા જે સ્ત્રી ઝટ તેમને તાબે ન થાય, તેમને વશ કરવા ખાસ પ્રયત્નશીલ થાય છે, અને એક વખત તે સ્ત્રી તેમને વશ થઈ, એટલે પછી બીજી અનેક સ્ત્રીઓની પેઠે તેમને ફગાવી દે છે. ફર્ડિનાન્ડ પણ પછી ફરી કદી મને મળવા આવ્યો નહિ. કેટલાય દિવસ હું તેની રાહ જોઈને તડપતી બેસી રહી.
પછી એક દિવસ અચાનક મેં સાંભળ્યું કે, ફર્ડિનાન્ડનું લગ્ન પાસેના શહેરની ભૂસિન્ડા નામની એક જુવાન તથા તવંગર-ખાનદાન કુટુંબની યુવતી સાથે થઈ ગયું છે. એ સાંભળતાંની સાથે જ હું એ દગાબાજ ફર્ડિનાન્ડ ઉપર વેર લેવાની વૃત્તિથી આંધળી બનીને તે શહેરમાં જવા તૈયાર થઈ. મેં મારા પિતાના એક જુવાન નોકરને સંતલસમાં લીધો અને તેની પાસેથી પુરુષનાં કપડાં પહેરી લીધાં. મારા ઘરમાંથી મારા પોતાનાં થોડાં સારાં કપડાં તથા ઘરેણાં અલબત્ત મેં સાથે લીધાં ' જ હતાં. પેલા શહેરમાં પહોંચી ગયા પછી મને ખબર પડી કે, લગ્નને દિવસે જ લ્યુસિન્ડા બેભાન થઈ ગઈ હતી, તેની છાતી અગળથી એક પત્ર તથા કટાર મળી આવ્યાં હતાં, તથા તે પત્રમાં લ્યુસિન્હાએ એમ લખ્યું હતું કે, તે કાર્ડિનિયો નામના જુવાન સાથે પરણી ચૂકી છે, એટલે ફર્ડિનાન્ડને ફરી પરણી શકતી નથી, માત્ર તેના પિતાના આગ્રહથી તે આ વિધિમાં હાજર થઈ છે, અને લગ્ન પછી તરત તે પોતાની કટાર વડે આત્મહત્યા કરવાની છે.
“મને એમ પણ સાંભળવા મળ્યું કે, કાર્ડિનિયો લગ્નવિધિ વખતે હાજર હતો અને તેનાથી આ વિધિ નજરે જોઈ ન શકાતાં તે નિરાશ થઈ લ્યુસિન્ડાની બેવફાઈ બદલ શાપ વરસાવતો એક કાગળ પાછળ મૂકી, - આત્મહત્યા કરવા કોઈ નિર્જન પ્રદેશ તરફ ચાલ્યો ગયો છે. મેં એમ