________________
આપનારું થઈ પડે છે! તેઓ એ મહાપુરુષની સિદ્ધિઓની જેમ પોતાને નામે પણ તેવી મહાસિદ્ધિઓ ચડાવવા કટિબદ્ધ થાય છે, અને ચારે તરફ બીજાને માટે કે પોતાને માટે પણ, આફતના ઓળા ઉતારી મૂકે છે.
દરેક દેશને આવી નવલકથાની જરૂર રહેવાની; અને તેથી જગતની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થતા જ આવ્યા છે, તથા તે વંચાતી જ રહી છે. એ ગ્રંથ સૌને માટે આત્મદર્શક અરીસો છે અને સાથે સાથે એક ભારે પાર પણ.
તે મહા-કથાનો આ ભાવવાહી સંક્ષેપ ગુજરાતી વાચકને વિશેષ અનુકળ નીવડશે, એ શ્રદ્ધા સાથે, તેને સાદર કરું છું.
ગોપાળદાસ જીવાભાઈ પટેલ
નોંધઃ આ પુસ્તકની શરૂઆતમાં ડેન કિવકસેટની ભત્રીજને ઉલ્લેખ છે (પૃ. ૩, ૨૬, ૨૮, ૨૯ ઈ.). પરંતુ પછી પૃ૦ ૧૫ર, ૧૫૫, ૧૬૩ ઉપર “ભત્રીજીને બદલે “ભાણું” એ તેને માટે ઉલ્લેખ કરેલો છે. બધે એકસરખું ભત્રીજી” ગણી લેવા વિનંતી છે.