________________
નબર ૩૪ અને નંબર ૨૭ “વહાણવટાનો.'
અહીં કયારને આવ્યો છે?' ૨૮ મી ફેબ્રુઆરી ૧૮૧૫ થી.” “કયા ગુનાને લીધે ?”
હું નિર્દોષ છું.' ‘પણ તારા ઉપર આરોપ શો છે?' સમ્રાટ નેપોલિયનને ફ્રાંસમાં પાછા લાવવાના કાવતરામાં મદદ
કરવાને.”
તે શું બાદશાહ ગાદી ઉપર નથી?'
તેમણે ૧૮૧૪ માં ગાદીત્યાગ કર્યો ત્યાર પછી તેમને એલ્બા ટાપુ ઉપર મોકલી દેવામાં આવ્યા છે. પણ આ બધું તમે નથી જાણતા, તે તમે ક્યારના અહીં જેલમાં છો?”
૧૮૧૧ માં હું અહીં આવ્યો. હવે તું વધુ ખોદીશ નહિ. માત્ર મને એટલું કહે કે તારું ખોદકામ કેટલી ઊંચાઈએ છે?”
ભોંયતળની સમાંતર.’ તેને શી રીતે છુપાવ્યું છે?” “મારા ખાટલાની આડે.” તારી ખેલી કયાં ખૂલે છે?”
એક ગલીમાં.’ “અને ગલી?'
એક ચોકમાં.' “અરેરે !” નિરાશાનો ભાંગી પડેલો અવાજ આવ્યો. “કેમ, શું થયું?'
હું છેતરાયો. મારા નકશામાં એક રેખાની સહેજ ભૂલથી ખરેખર પંદરેક ફૂટની ભૂલ આવી ગઈ લાગે છે. તું જે ભીંત ખોતરી રહ્યો છે, તેને હું કિલ્લાની દીવાલ માનતે હતે.'