________________
નંબર ૩૪ અને નંબર ૨૭ ૩૦ થયેલા નેપોલિયનના પુનરાગમનમાં સક્રિય ભાગ લેનાર. પૂરેપૂરી સાવધાની અને જાપતે રાખવાં.’
એ નોંધ જુદા અક્ષરોમાં હોઈ, તેના કેદ પકડાયા બાદ ઉમેરેલી હતી. કદાચ વિલેફૉર્ટે જ ઉમેરેલી હોવાનો સંભવ વિશેષ હતો. તે સિવાય બીજી કશી નેધ રજિસ્ટરમાં કરેલી નહોતી. ઇસ્પેકટરે તરત તેની નીચે શેરો કર્યો – “કશું કરવાનું રહેતું નથી.”
૧૧ નંબર ૩૪ અને નંબર ૨૭ એક વરસ તીવ્ર ઉત્કંઠાથી રાહ જોવામાં વીતી ગયું. ડાટેના હૃદયમાં ઈન્સ્પેકટરની તપાસ બાદ જે આશા પ્રગટી હતી, તે અસહ્ય બળતરા કરતી કરતી છેવટે બુઝાઈ ગઈ.
પછી તો લાંબાં કંટાળાભર્યા વરસો એક પછી એક પસાર થવા લાગ્યાં. પિતાના હાથવેંતમાં આવેલ સુખને વિનાકારણ ભૂંસી નાખનાર પિતાના અજ્ઞાત દુશ્મન ઉપર વેર અને કિન્ને ગોખ્યા કરવા સિવાય બીજાં કામ ડાન્ટેને ન રહ્યું. પિતાના દુશ્મનને એકદમ પ્રાણરહિત કરવાને બદલે તેને લાંબે વખત રિબાવવાના અસંખ્ય પ્રકારો પણ તે કલખ્યા કરતે. કારણ કે મૃત્યુ તે બધી વેદનાઓ કે સજાઓમાંથી સહેલો છુટકારો આપી દે!
પરંતુ એ વિચારમાંથી જ તેને પોતાના મૃત્યુને વિચાર આવવા લાગ્યો. આ કેદમાંથી છૂટવાની જો જરાય આશા ન હોય, તે પોતે જ મૃત્યુને આશરો લઈ, આ વેદનાની લાંબી જાળમાંથી ઝટ છટકી જવું એ વધુ સારું નહિ?
તેણે મરવાનો નિશ્ચય કરી, ખાવાપીવાનું બંધ કરી દીધું. રાક આવે ત્યારે તેને તે ઊંચા જાળિયામાંથી બહાર ફેંકી દેતે, જેથી બળજબરીથી તેને ખવડાવવાનો પ્રયત્ન કરવામાં ન આવે.