________________
આશા અને ધીરજ
ફર્નાન્ડ અને કેડરોને પણ નેપોલિયનના લશ્કરભરતીના હુકમાની રૂએ લશ્કરમાં ભરતી થઈને લડાઈના મેારચાઓ ઉપર ચાલ્યા જવું પડયું હતું.
૪
માત્ર ડાન્ટના વૃદ્ધ પિતા ડાન્ટેના છુટકારાની આશાએ જીવતા બાકી રહ્યો. પરંતુ નેપોલિયનનું પતન થતાં તેની એ આશા પણ તૂટી પડી; અને ડાન્ટેના જેલ ગયા બાદ બરાબર પાંચ મહિને તેણે મર્સિડીસના ખાળામાં પ્રાણ છેાડયા.
૧૦
એ કેદીઓ
રાજા લૂઈ ફરીથી ગાદીએ બેઠા પછી એક વર્ષ બાદ કેદખાનાંઓ માટેના ઈન્સ્પેકટર જનરલ શેટો દ' ઈફનું જેલખાનું તપાસવા આવ્યા. ભાંયતળ ઉપરની કોટડી તપાસી રહ્યા બાદ, જે કેદીઓ જોખમકારક અને ગાંડા હોવાથી ભોંયતળ નીચેની કોટડીઓમાં પૂરેલા હતા, તેમની મુલાકાતે એ ચાલ્યા.
તેવા બે કેદીઓ તે વખતે ત્યાં હતા. તેમાંના એક ડાન્ટેને, ખાસ ઝનૂની અને જોખમકારક માની, જેલરે પ્રથમથી બે સિપાઈ તેની ખાલીમાં સાવચેતી માટે મેલ્યા.
ઇન્સ્પેકટર સાહેબ ડાન્ટની ખોલીમાં આવતાં, તેણે, પેાતાના કિસ્સામાં ગંભીર ભૂલ થઈ હાવાથી પેાતાની સજાના કાગળાની ફરી તપાસ કરવાની માગણી કરી. શ્રી. વિલેફૉર્ટ સાહેબે તા પેાતાને નિર્દોષ ગણી છોડી મૂકવાના હુકમ જ આપ્યા હતા, એ વાત પણ ડાન્દેએ કરી.
ઇન્સ્પેકટર ઉપર ડાન્ટેની વાતચીતથી સારી છાપ પડી. તેમણે તે એક ઝનૂની જંગલી પશુ જ જોવાની આશા રાખી હતી. એટલે જવાબમાં તેમણે જણાવ્યું કે, ‘શ્રી. વિલેફૉર્ટ હવે માર્સેલ્સમાં નથી, પણ ટુટ્યોંમાં