________________
૧૫
કાવતરું ડાન્ટેએ જવાબ આપ્યો, “તે પહેલાં મારે પૅરિસ જવું પડે તેમ છે. ત્યાં જઈને પાછા આવવામાં વખત જાય ને ?'
પણ પૅરિસ જેટલે દૂર દોડી મરવાનું તારે તે એવું શું કામ છે?'
મારે તે કાંઈ કામ નથી; પરંતુ બિચારા કપ્તાન લેકલેરે મરણપથારીએથી મને એક સંપેતરું સોંપ્યું છે.'
‘હા, હા; તેથી તું પેરિસ જવા માગે છે કેમ?' ડેન્ટલમેં બહારર્થી તે હાજિયો પૂર્યો, પણ તેના મનમાં થઈને વીજળીના ઝબકારાની પેઠે એક વિચાર પસાર થઈ ગયો : “એ કાગળમાં જરૂર નેપોલિયનનો જ કોઈ સંદેશો હશે. નેપોલિયનને પાછો ગાદીએ લાવવાના છૂપા પ્રયાસે અહીં ફ્રાંસમાં ચાલી જ રહ્યા છે. એ કાગળ જો પકડાવી દઈએ, તે ડાન્ટેભાઈ જન્મટીપમાં જ પહોંચી જાય! વળી એની ઉપર દાઝે બળતા આ ફર્નાન્ડને હાથે જ તે કામ કરાવીએ, તે આપણે માથે કશી લબદામણ પણ નહીં!'
૪
કાવતરું ડા અને મર્સિડીસ ચાલ્યાં ગયાં ત્યાર બાદ ડેન્ગલસેં ફર્નાન્ડને ડાન્ટ ઉપર વેર લેવા ઉશ્કેરવા માંડયો. પરંતુ મર્સિડીસ ડાન્ટ પાછળ પ્રાણત્યાગ કરી બેસે એ નક્કી હોવાથી, ડાન્ટને જાનથી મારવાની કોઈ યોજના ફર્નાન્ડને મંજૂર ન હતી, કારણ કે, મર્સિડીસ આત્મહત્યા કરે તે પછી પોતે પણ જીવતા ન રહેવું, એ તેને પણ નિરધાર હતો.
ડેલર્સે ફર્નાન્ડને સમજ પાડવા માંડી, “જો, ડાન્ટને મારા લાંબી જેલ થાય એ ઉપાય કરીએ, તો એનું લગ્ન તત્કાળ અટકે તથા ડાટે મર્યો ન હોવાથી મર્સિડીસ પણ મરે નહિ. પછી આગળની વાત આગળ જોઈ લેવાય !”
બરાબર !' ફર્નાન્ડ રાજી થઈ બોલી ઊઠ્યો, “પછી તે ડાન્ટથી