________________ 214 આશા અને ધીરજ ઉપરેય વેર લેવું હોય તો મારી ઉપર લો; કારણ કે તમારી ગેરહાજરીમાં એકલી રહેવાનું બળ મારામાં ન હતું, અને હું તેને પરણી ગઈ.” પણ હું ગેરહાજર શા માટે હો?' કારણ કે તમને કેદ પકડવામાં આવ્યા હતા.' પણ મને શા માટે કેદ પકડવામાં આવ્યો હતો?” ‘એ હું નથી જાણતી.' તે સાંભળો : મને કેદ પકડવાનું કારણ એ હતું કે, તમારી સાથે મારા થનારા લગ્નને આગલે દિવસે ડેલર્સ નામના માણસે એક કાગળ લખ્યો, જે ફર્નાન્ડે પોતે ટપાલમાં નાખ્યો.’ આમ કહી, કાઉંટે પોતાના ટેબલના એક ગુપ્ત ખાનામાંથી દ’ બેવિલેના જેલ-રજિસ્ટરમાંથી પિતે કાઢી લીધેલો કાગળ કાઢયો અને મર્સિડીસને આપ્યો. મર્સિડીને તે કાગળ વાંરયો. વાંચતાં જ તેના કપાળ ઉપર ફૂટી નીકળેલાં પરસેવાનાં ટીપાં લોહી નાખવા તેણે પિતાને હાથ કપાળ ઉપર ફેરવ્યો. પછી તે માત્ર એટલું જ બોલી : “ઓ પ્રભુ !' ત્યાર બાદ તેણે ધીમેથી પૂછ્યું, “પછી આ કાગળનું શું પરિણામ આવ્યું?” “તે તે તમે જાણો છો; તેને પરિણામે મને જેલ મળી. પણ એ જેલ એટલે શું? 14 વર્ષ સુધી હું તમારાથી ત્રણ માઈલ દૂર શેટો દ ઈફની એક અંધારી કોટડીમાં પુરાઈ રહ્યો હતે. એ 14 વર્ષની દરેક ઘડીએ મેં પ્રથમ દિવસે લીધેલી વેરની ઘોર પ્રતિજ્ઞા ગોખ્યા કરી છે. જોકે તે વખતે હું જાણતો ન હતો કે તમે ફર્નાન્ડને જ– માગ દુશ્મનને જ– પરણી ચૂક્યાં હતાં, તથા મારા પિતા મરણ પામ્યા હતા અને તે પણ ભૂખે ટળવળતા.’ મર્સિડીસ ફાટેલી આંખે બે ડગલાં પાછી હટી ગઈ. પછી ઘૂંટણિયે પડી તે રડતાં રડતાં બોલી : “ક્ષમા કરો, એડમંડ, ક્ષમા કરો; કાંઈ નહિ તો તમે એક વાર પોતાની માનેલી મર્સિડીસને કારણે ક્ષમા કરે; જે તમને હજુ નિરંતર યાદ કરે છે અને ચાહે છે.'