________________
કુટુંબદાક્તર દ એવરીની વિફર્ટે પિતાનું વચન બરાબર પાળ્યું હતું. તેના માણસોએ ખબર મેળવી હતી કે, કાઉંટ પહેલાં કદી ફ્રાંસમાં આવ્યો ન હતો; તે પાંચ-છ મહિનાથી જ ફ્રાંસમાં આવ્યો હતો. ઑટીલમાં ઘર રાખવાના તેના હેતુ વિષે કાઉંટના મિત્ર એબ બુસેની પાસેથી એમ જાણવા મળ્યું કે, તે ત્યાં ગાંડાઓની ધર્માદા ઈસ્પિતાલ ખોલવા માગે છે, ત્યારે કાઉંટના એક અંગ્રેજ દુશ્મન લૉર્ડ વિભેરના જણાવ્યા પ્રમાણે સટ્ટાખોર કાઉટ એક નવો સટ્ટો ખેલવા માગતો હતો : તેને ખબર મળી હતી કે તે મકાનની આસપાસ જમીનમાં ક્યાંક એવા પાણીનું વહેણ છે, કે જે પાણી ઘણા રોગો ઉપર દવાનું કામ દઈ શકે તેમ છે; એટલે એ મહાશય એ ઝરો શોધી કાઢી, એ મકાનનો દરદીઓની હોટેલ તરીકે ઉપયોગ કરી ધૂમ કમાણી કરવા માગતા હતા !
વિફર્ટે પિતાના ઓરડામાં બેસી આ બધી માહિતી વાગોળતે હતો. તેની પત્ની તથા પુત્રી વગેરે કાઉંટ મોર્સફેને ત્યાંના નૃત્યસમારંભમાં ગયાં હતાં. મળેલા સમાચારથી તેને એટલી તો નિરાંત થઈ કે, કાઉંટ પહેલાં કદી ફ્રાન્સમાં આવ્યો ન હતો; એટલે જીવનમાં તેની સાથે વેર બંધાવાનું કોઈ કારણ તેને પોતાને મળ્યું હોવાનો સંભવ નહોતે. કદાચ પેલા કોર્સિાવાસીએ કોઈ પાદરી આગળ પિતાના ગુનાની કબૂલાત કરી હોય, અને તે પાદરી પાસેથી એ વાત વધીને કે બદલાઈને કાઉંટ પાસે આવી હોય, પરંતુ તોય, કાઉંટને એ વીસ વર્ષ જેટલી જૂની વાત સૌની હાજરીમાં આ રીતે આજે ઉખેળવાથી શે લાભ કે શું પ્રયોજન?
૧૬૫