________________
૨૦
આશા અને ધીરજ
જઈ તેણે પ્રથમ પેલી પેટીનું ઢાંકણું છરી વતી ઉઘાડી નાખ્યું. તેમાં તાજું જન્મેલું બાળક હતું !
બકિયા તેને નદીમાં પધરાવી દેવા જ જતા હતા, તેવામાં તેને લાગ્યું કે બાળકનું શરીર કંઈક ઊભું હતું. થોડી માથાકૂટ પછી બકિયાએ તેને શ્વાસ લેતું કરી દીધું. એક જીવ લીધા તેના બદલામાં એક જીવ બચાવવા મળ્યા, એ કારણે તે પરમાત્માનેા આભાર માનવા લાગ્યા.
આવાં તજી દેવાયેલાં અનાથ બાળકોને ઉછેરનારી ઇસ્પિતાલની જાણ બકિયાને હતી. રાતે રાત બટુકિયા છાનામાના તે બાળકને ત્યાં મૂકી આવ્યા. તે બાળકને જે કપડું વીંટેલું હતું તેના ઉપર અમીરઉમરાવા રાખે છે તેવી મુદ્રા તથા H અને N એ બે અક્ષરો ભરેલા હતા. ભવિષ્યમાં તે બાળકને ઓળખવા કામ આવે એમ માની, તેણે તે કપડામાંથી એક અક્ષર પેાતાની પાસે આવે અને બીજો બાળક પાસે રહે તે રીતે અર્ધો ટુકડો ફાડી લીધા.
એકાદ પખવાડિયા પછી બટુકિયા જ્યારે તેની ભાભીને મળ્યો, ત્યારે તેણે ભાઈનું ખૂન થયાની તથા પાતે તેનું વેર વસૂલ કર્યાની બધી વાત કરી. પેલા બાળકની વાત જ્યારે દુખિયારી ભાભીએ સાંભળી, ત્યારે તે તરત બાલી ઊઠી કે, ‘ તમે તે છાકરાને અહીં લાવ્યા હોત, તો હું તેને ઉછેરત; મને થોડું સુવાણ થાત.
"
બટું કિયાએ જવાબમાં પેલા અર્ધો ફાડી લીધેલા ટુકડો ભાભીને સાંપ્યા તથા કહ્યું કે, આપણે પૈસાવાળાં થઈએ. ત્યારે તે બાળકને ઓળખીને લઈ આવી શકીએ, તે માટે જ આ નિશાની મેં ફાડી લીધી છે.’ વિલેૉર્ટ જેવા સરકારી અમલદારના ખૂનની તપાસ બરાબર ચાલે જ; એટલે જ્યારે ત્યારે પાતાના જાનનું જોખમ છે એમ માની, બકિયા દૂર દરિયા તરફ જ વધુ વખત રહેવા લાગ્યા; તેમ જ મરતા પહેલાં ભાભીના ગુજરાન જો] ઝટ કમાઈ લેવા માટે તેણે દાણચારીનાં ભારે સાહસેા ખેડવા માંડયાં.