SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નવલકથાકાર પ્રસંગોનું અને પાત્રોનું ઘડતર કરતા કરતે છેવટે જ્યારે આપણા સમગ્ર લાગણીતંત્રને ઉછાળી મુકે- હચમચાવી મૂકે એવા પ્રસંગ ઉપર આવે છે, ત્યારે આપણે પણ એ ઘડીએ જાણે એક પ્રકારની ધન્યતાને ઉછાળ અનુભવીએ છીએ. આ નવલકથાની બલિહારી તો એ છે કે, એમાં પળે પળે હદય-ઉછાળ પ્રસંગ આવે છે. એવા પ્રસંગો જ ભરપષ્ટ્ર રજુ કરવાની કુશળતા લેખકની આ નવલકથાને સાચા અર્થમાં “સાગા’ બનાવે છે. મહાભારત વિશે એમ કહેવાયું છે કે, “જે આમાં છે તે જ સૌમાં છે: અને જે આમાં નથી એ કોઈમાં નથી ' આમ કહીને આખા સાહિત્યજગતને મહાભારતનું જ “ઉપજીવી' બતાવ્યું છે. એને અર્થ એટલે જ છે કે, માનવ-ભાવનાને ઉછાળી મૂકે – વલવી નાખે– પાવન કરે, એવા પ્રસંગો એ મહાકાવ્યમાં એટલા બધા તથા એવા વિવિધ પ્રકારના છે કે, બીજ કવિ હવે જે કંઈ કલ્પશે, તે એમાં કોઈ ને કોઈ રૂપે આવી જ ગયું હશે! આ નવલકથા પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના પિતા-પુત્ર વચ્ચેના ભાઈભાઈ વચ્ચેના અરે દુશ્મન-દુશમન વચ્ચેના અનેક ભાવ-ઉછાળ પ્રસંગો ઉપરાઉપરી રજુ કરે છે. માનવહૃદયના એ બધા ભાવોને દેશ-કાળ કે શત-પાતની કશી મર્યાદા હોય નહીં. એ બધા ભાવ માનવ-સુલભ હાઈ સાર્વજનિક છે. એટલે ધરતીને ઉત્તર છેડે આવેલા આઇસલેન્ડમાં ભજવાતી આ કથા ગુજરાતના ગરમ મેદાનમાં પણ અપ્રસ્તુત હરગિજ નથી બનત. - આ નવલકથા ૧૮૦માં લખાઈ છે. તેના લેખકની સૌથી પ્રથમ નવલકથા ૧૮૮૫માં લખાઈ હતી, અને સૌથી છેવટની જાણીતી કથા ૧૯૨૩માં. લેખક પોતે ૧૯૩૧માં ગુજરી ગયા છે. છતાં અંગ્રેજી.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy