________________
૨૨૦
આત્મ-લિદાન
ગણાતો હતો. કીતિ અને આદર તેની સમક્ષ વણ-માગ્યાં ઢગલો થયા કરતાં હતાં; અને તેના હળને જે હાથ દેવા લાગે, તેને પણ એમાંથી કંઈક હાથ આવે જ એ ઉઘાડું દેખાતું હતું.
આટલું સમજી લીધા પછી જૅકબે બધા ભાઈને ગ્રીબાની મુલાકાતે લીધા.
ર
ગ્રીબા જે દિવસે જેલમાં જૅસનને મળવા ગઈ હતી, તે દિવસે જ પાછલે પહારે ફૅરબ્રધર-ભાઈબંદર ઊતર્યા હતા; અને તેના લગ્નની, તેની ઉજવણીની, અને પ્રેસિડન્ટના ખૂનના પ્રયાસની વાતો તેમણે સાંમળી હતી. તે જાણતા હતા કે, જૅસન મૅન ટાપુમાંથી કયાંક બહાર ચાલ્યો ગયો છે; પણ તે અહીં જ હશે એવી કલ્પના તેમને આવી ન હતી. પણ જ્યારે ગંધકની ખાણ તરફ લઈ જવાતા કેદીઓની મંડળી તેમણે જોઈ, ત્યારે તેમણે જૅસનને તેમાં જોયો. પછી તેએગ્રીબાને ઘેર પહોંચ્યા. જૅકબે ભાઈઓને કહી રાખ્યું હતું કે, ‘ ગ્રીબા જોડે વાતચીત કરવાનું મને જ સાંપી રાખજો – તમે કોઈ વચ્ચે બેાલતા નહિ.' પ્રેસિડન્ટના ઘરમાં આવી અંગ્રેજ દાસીને થેાડી પડપૂછ કરતાં જ તે સમજી ગયો કે, પ્રેસિડન્ટનોગ્રીબા ઉપર ખૂબ જ ભાવ છે, તથા ગ્રીબાનું પણ પ્રેસિડન્ટ ઉપર ખૂબ ચલણ છે – તે કહે તે કરવા તે દુનિયાને છેડે પણ જાય!
.
66
પેલી અંગ્રેજ દાસી અંદર ખબર આપવા ગઈ તે દરમ્યાન જૅકબે ભાઈઓને કહી દીધું કે, “ગ્રીબાના ભાગની જમીન વેચીને તેને આપવાના પૈસા ઊભા કરવા મારા ભાગની જમીન આપણે અંદરોઅંદર કડદો કરીને વેચી નાખી છે. એટલે તમે ભલે મૅન-ટાપુ પાછા ફરજો – હું તો અહીં જ રહીશ.'
""
“ના, ના; હું તને મારી જમીન વેચી દઈશ; એટલે તું પાછે જજે અને હું અહીં રહીશ.” થર્સ્ટને જવાબ આપ્યો.