________________
૧૨૪
આત્મબલિદાન મારી માને હીન અવગણના અને ઘાતકી વર્તાવથી મારી નાખી હતી; એટલે મારી માનું વેર લેવા અને આની કતલ કરવા પ્રતિજ્ઞા લઈને જ હું અહીં આવ્યો હતો; પણ મારો બાપ સનેપાતની લવરીમાં મને આશીર્વાદ આપતો અને મારી માની ક્ષમા માગતો મૃત્યુ પામ્યો છે.”
ગ્રીબા સમજી ગઈ કે, તેણે આ બાબતમાં ચૂપ રહેવું જ આવશ્યક છે; કારણકે, જેસને સ્ટિફનને તેની મરણપથારીએ ભલે ક્ષમા આપી; પણ પોતાની માની શૉયના પુત્ર તરીકે માઇકેલ સનલૉકસને તે કદી જતો નહિ કરે.
દરમ્યાન, આદમ ફેરબ્રધરે માઇકેલ સન-લૉકસને એક પત્ર લખી નાખ્યો કે, તારા પિતાનું મૃત્યુ થયું છે, એ તને વળાવીને બંદરે પાછા આવતા હશે તેવામાં દરિયાઈ તોફાનમાં સપડાઈને ખડકે ટિચાઈને ઘાયલ થઈ મૃત્યુ પામ્યા છે. આ કાગળ તેણે રેકજાવિકની લેટિન શાળાવાળા લૉર્ડ બિશપ જોન પિટર્સનને સરનામે મોકલી આપ્યો; કારણકે, માઇકેલ સન-લૉક્સનું એટલું જ સરનામું તે જાણતો હતો. . પરંતુ થોડા જ વખત બાદ એ કાગળ બિશપની એવી નોંધ સાથે પાછો આવ્યો કે, એ નામનો કોઈ વિદ્યાર્થી તેમની શાળામાં નથી.
આદમ ફેરબ્રધરને હવે ચિંતા થઈ કે, જે રાતે સ્ટિફનની હોડી તથા આઇરિશ જહાજને કારમી હોનારત નડી, તે રાતે જ માઈકેલ સન-લૉક્સ આઇસલૅન્ડ જવા ઊપડ્યો હોઈ, તે પણ એ જ તોફાનનો ભેગ બને છે કે ? એટલે તેણે આઇસલૉન્ડના ગવર્નર-જનરલ, કે જે પોસ્ટમાસ્તરનું કામ પણ સંભાળતા, તેમને સરનામે એ કાગળ માઇકેલ સનબ્લૉક્સને ફરીથી મોકલ્યો અને તેમાં થડ ઉમેરો એ કર્યો કે, તેના પિતાનું મૃત્યુ થયું હોઈ, તે હવે આઇસલૅન્ડમાં રહેવાની તેની જવાબદારીમાંથી મુક્ત થયો કહેવાય; એટલે તે હવે ત્યાંથી પાછો ફરશે કે કેમ એ જલદી જણાવે. કાંઈ નહિ તો તે આઇસલૅન્ડ સુખરૂપ