SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ મહિય - ૩ય (ત્રિ.) (વધારે, વિશેષ, અધિક, અત્યન્ત). अब्भहियतरग - अभ्यधिकतरक (त्रि.) (અતિશય વધારે, અત્યધિક, વિપુલતર, વિસ્તીર્ણ) મામિ - જખ્યાનમ (કું.) (સન્મુખ આવવું તે 2. યુદ્ધ 3. વિરોધ 4. નજીકમાં રહેવું તે) શાશ્વત સુખની પ્રાપ્તિ માટે સઘળા કર્મોનો ક્ષય જોઇએ અને ક્ષણિક સુખ માટે પુણ્યકર્મનો બંધ જોઇએ. જ્યાં સુધી મુક્તિ નથી મળી ત્યાં સુધી સંસારમાં રહીને અશુભ ગતિ કે દુઃખની પ્રાપ્તિ ન થાય તે માટે પુણ્ય હોવું અતિઆવશ્યક છે. જે પુણ્યશાળી આત્માઓ હોય છે તેને ભાગ્યલક્ષ્મી સ્વયં સન્મુખ આવીને વરમાળા પહેરાવે છે. તેઓને ડગલે ને પગલે યશ, કીર્તિ અને સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. જેમ પુણ્યશાળી શ્રીપાળ રાજાને થઈ હતી તેમ. अब्भागमिय - अभ्यागमिक (पुं.) . (આગન્તુક, મહેમાન, પ્રાણુણો, અતિથિ) સન્માય - ૩ખ્યાતિ (કું.) (આગન્તુક, મહેમાન, પ્રાણુણો, અતિથિ) अब्भावगासिय - अभ्रावकाशिक (न.) (આંબા વગેરે ઝાડના મૂળની નીચે રહેલું ઘર) મહિમા - અધ્યાય (શ) (કું.) (અભ્યાસ કરવો તે, વારંવાર આવૃત્તિ કરવી તે 2. સમીપ, નજીક 3. આદત 4. આવૃત્તિજન્ય સંસ્કાર) યુદ્ધો દરરોજ થતાં નથી હોતા છતાં પણ ચારેય પ્રકારનું સૈન્ય દરરોજ યુદ્ધનો અભ્યાસ કરતું હોય છે. જેથી કરીને યુદ્ધના સમયે ફિયાસ્કો ન થઈ જાય. તેમ દુઃખ આપનાર અશુભ કર્મોનો ઉદય કંઈ દરરોજ નથી આવતો. છતાં પણ પ્રત્યેક જીવે તેના માટેનો અભ્યાસ પાડી દેવો જોઇએ, દુઃખને સહન કરતાં શીખી લેવું જોઇએ. જેથી સંકટના સમયે ચિત્તની સમાધિ ટકી રહે. अब्भासकरण - अभ्यासकरण (न.) (પાસસ્થાદિને પુનઃ સંયમધર્મમાં સ્થાપિત કરવારૂપ સંભોગનો એક ભેદ) જેઓ શિથિલાચારના કારણે સંયમમાર્ગથી ભ્રષ્ટ થયેલા છે તેવા પાસત્યાદિ જીવોને આલોચના દાનાદિ દ્વારા પુનઃ ચારિત્રમાર્ગમાં સ્થાપન કરીને તેમની સાથે ગોચરી-પાણી આદિનો વ્યવહારમાર્ગ પ્રવર્તાવવો તેને અભ્યાસકરણ કહેવામાં આવે છે. અમાસ - અભ્યાસક્ર (પુ.) (નિક્ષેપો, સ્થાપના) સન્માકુ - અગાસા (કું.) (પૂર્વના અભ્યાસજનિત સંસ્કારથી ઉત્પન્ન થયેલો ગુણ) અંધારું થતાં જ આંખો મીંચાઈ જવી, તાજા જન્મેલા બાળકનું મુખ વડે સ્તનપાન કરવું, શરીરને ખંજવાળવું આ બધું કોણ શીખવાડે છે? આ પ્રવૃત્તિ અનાદિકાલીન અભ્યાસથી પડેલ સંસ્કારોની દેન છે. જીવ જે પ્રવૃત્તિ પુનઃ પુનઃ કરે છે તેના સંસ્કારો આત્મા પર પડે છે અને તે સંસ્કારોના કારણે જીવ તે જ ભવમાં તેમજ ભવાંતરમાં પણ એવી જ પ્રવૃત્તિ કરે છે. આને અભ્યાસગુણ કહેવામાં આવે अब्भासजणियपसर - अभ्यासजनितप्रसर (त्रि.) (અભ્યાસજનિત પ્રસર-ધારા, અભ્યાસથી ઉત્પન્ન થયેલો વેગ, અભ્યાસજન્ય વેગવાળો) યોગશતક ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે, શ્રમણે આત્મામાં સદ્ગુણોને ઉત્પન્ન કરવા માટે આચારોનું પાલન 483
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy