SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિમા (વા) - વિંગ (સ્ત્ર.). (માતા 2. દુર્ગા 3. નેમિનાથ ભગવાનના શાસનાધિષ્ઠાયિકા દેવી 4. પાંચમા વાસુદેવના માતા) પ્રાચીન મથુરાનગરીમાં તથા ભરૂચ નગરની પાસે પણ અંબિકા દેવીની મૂર્તિઓ હતી એમ જિનપ્રભસૂરિજી રચિત વિવિધતીર્થકલ્પમાં ઉલ્લેખિત છે. અંબિકાદેવી પ્રસિદ્ધ ગિરનાર મહાતીર્થના રક્ષક અને ભક્તોના વાંછિત આપનારા છે. अंबियासमय - अम्बिकासमय (पुं.) (ગિરનાર પર્વત ઉપરનું એક તીર્થ સ્થાન) ગિરનારને પ્રાયઃ શાશ્વત બતાવાયો છે. આવતી ચોવીસીના સર્વતીર્થકરો ગિરનાર તીર્થથી મોક્ષ પામશે. આ ગિરિરાજ પર શ્રીનેમિનાથ પ્રભુના શાસનદેવી શ્રીઅંબિકામાતાની ઊંચી ટૂંક આવેલી છે. જે અંબાજીની ટૂંક તરીકે ઓળખાય છે. સંવિ - અશ્વિન (સ્ત્રી.) (કોટીનારનગરના સોમ બ્રાહ્મણની પત્નીનું નામ) મંવિત્ન - મસ્વિત્વ, અન્ન, ગાસ્ન (પુ.) (ખટાશ, ખાટો રસ 2. ખટાશવાળું, ખાટું 3. કાંજી 4. સૌવીર-કાંજી વિશેષ 5. છાશનું પાણી-આછ). આયુર્વેદના મતે ખાટો રસ અગ્નિનું દીપન કરનાર, શોક, પિત્ત અને કફને વધારનાર, આહારનો પાચક, ભોજનને વિષે રુચિ કરાવનાર અને વાયુને હરનાર કહ્યો છે. સાથે સાથે રસાયણ-પાકના સેવનવિધિમાં સર્વથા ત્યાજય બતાવ્યો છે. મંવિત્ન/મ - મસ્વિત્રનામ (જ.) (રસ નામકર્મ, નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવને અસ્ફરસવાળું શરીર મળે છે) આ નામકર્મની પ્રકૃતિનો એક ભેદ છે. તેના ઉદયથી વ્યક્તિના શરીરનો પરસેવો આંબલી અથવા લીંબુ વગેરે ખાટા પદાર્થોની જેમ ખટાશના ગંધવાળો અને સ્વાદ પણ ખાટો હોય છે. જગતમાં નામકર્મની વિચિત્રતા સૌથી વધુ દેખાય છે. સંવિનરસ - મશ્નરસ (.) (ખાટો રસ, ખટાશ) अंबिलरसपरिणय - अम्बिलरसपरिणत (पुं.) (અવેતસ વૃક્ષ વગેરેની જેમ ખટાશને પામેલો પુદ્ગલ-પદાથ) સંવિત્તિ - મિત્તા (સ્ત્રી.) (આંબલી, આંબલીનું ફળ). રાજનિઘંટુ વગેરે ગ્રંથોમાં આંબલીના પ્રકારોમાં 1. કાતરાવાળી 2. પાંદડાવાળી 3. સફેદ આંબલી 4. શુદ્ર આંબલી આમ ચાર પ્રકાર વર્ણવેલા છે. આંબલીના વૃક્ષ નીચે વાસ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેની છાયા વાયુના રોગને વધારનારી કહી છે. સંવિત્નો - સોળ (.) (કાંજી જેવું સ્વભાવથી જ અત્યંત ખાટું પાણી) સંવુ || - વુનાથ (5) (સમુદ્ર). તિસ્કૃલોકમાં સૌથી મોટો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. જેનો વિસ્તાર અસંખ્ય યોજનનો બતાવેલો છે. તેમજ તે પૃથ્વીનો છેલ્લો સમુદ્ર છે. સમુદ્રની શોભા ગંભીરતાને ધારણ કરવામાં છે તેમ સજ્જનોની શોભા વિવેકને ધારણ કરવામાં છે. મંજુર્ઘમ - પ્રવુતમ (પુ.) (પાણીને રોકવાની એક કળા, 64 કળાઓમાંનો 13 મો પ્રકાર) ગમે તેવા પાણીના પ્રવાહને રોકવા માટે જળસ્તભિની વિદ્યા સમર્થ બને છે. તેમ ચારિત્રશીલ વ્યક્તિના સચ્ચારિત્રના પ્રભાવથી પણ જળ થંભી જતું હોય છે. તેમજ 64 કળાઓમાં પણ અંબુસ્તંભ નામક જળથંભન કરનારી એક કળા ગણી છે.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy