SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશરહસ્ય ગાથા-૮૫ =‘સૂત્ર વિધિને અખંડ રાખીને યતનાપૂર્વક (સાવધાનીથી) આરાધનામાં પ્રવનાર અધ્યાત્મવિશુદ્ધિયુક્ત આત્માને વિરાધના થાય તેા પણ નિર્જરાફળ પ્રાપ્ત થાય છે—આ આધનિયુક્તિસૂત્ર”ના વચનપ્રમાણથી નુકશાન થવાને બદલે લાભ જ થાય છે– એમાં કોઈ સંદેહ નથી. ૧૬૮ શ્રી નિશિથ સૂત્રના ભાષ્યમાં જણાવ્યુ છે કે, “હુ (સચમ-સ્વાધ્યાય ચેગોને) અખંડ રાખીશ, અથવા (નવા નવા સૂત્રાનુ) અધ્યયન કરીશ, કે તપશ્ચર્યા અને ઉપધાનમાં ઉદ્યમ કરીશ અથવા (સૂત્રેાક્ત) નીતિથી ગચ્છની સારસભાળ વગેરે કરીશ, આવા પુષ્ટ આલ બનાએ અપવાદ સેવન કરનાર મેાક્ષમાં જાય છે.” [કપટથી અપવાદ સેવનમાં લાભ વિષે શકા અને સમાધાન ] શકા : પુષ્ટાલ અને અપવાદસેવન કરનાર માક્ષમાં જાય તે તે ખરાખર છે, પણ અપુષ્ટાલખન અર્થાત્ ઉત્સર્ગ પાલનની શક્તિ હોવા છતાં ખોટા બહાના આગળ કરીને જે અપવાદ સેવન કરે તેને નિર્જરા થાય કે નહિ ? ‘"ગ્ર........ ઇત્યાદિ સૂત્રાવચવથી આ શકાના ઉત્તર આપવામાં આવ્યા છે— સમાધાન :- માતૃસ્થાન એટલે માચાવીપણુ -કપટ, જે આત્માએ કપટનો આશ્રય લઇને ખાટા ખાટા બહાના કાઢીને અપવાદના નામે જે તે દોષનુ સેવન કરવા બેસી જાય એ આત્મા પરમાર્થથી ધર્મક્ષેત્રની બહાર છે. તેના જેવા બીજો કોઈ અભાગીચેા નથી. કારણ કે જેમ કેાઈ અબુઝ માણસ કરોડોની સપત્તિના બદ્દલામાં ફુટી કોડીનુ પણ મૂલ્ય ન હોય તેવી તુચ્છ ચીજ ખરીદવા નીકળી પડે તેમ નિર્જરાના અપૂર્વ લાભની ઉપેક્ષા કરીને લેાકમાં પૂજાવા માટે અથવા લેાકમાં પેાતાની વાહવાહ કરાવવા માટેની ઝ*ખનાથી ખરેખર તે પોતાના આત્માના જ દ્રોહ કરી રહ્યો છે. તાત્ત્વિક વ્રત પરિણામ જાગ્રત થયા હોય તેવા પવિત્ર આત્મા કયારેય પણ પૂજા કીર્તિ માટે માયા-કપટથી અપવાદ આચરતા નથી. તેને સ્વભાવ જ તેવા ઉમદા હોય છે. શ્રી ઉપદેશદે (ગાથા-૫૪૪/૫૪૫) શાસ્ત્રમાં કહ્યું છે કેકોઈપણ સ્થાનમાં માયાના આશ્રય કરવા ઉચિત નથી, ખાસ કરીને ધર્માંમાં તા બિલકુલ નિહ. આ હકીકતને સમજનારા જીવ કયારેય પણ આત્મદ્રોહ કરતા નથી,’ કોટી દ્રવ્યને ત્યાગ કરીને તુચ્છ કાડીનું ગ્રહણ પાપાત્મા જ કરે છે. ભાગ્યશાળીએ નહિ. જે ચારિત્રયુક્ત છે તે જ ખરેખર ભાગ્યશાળી છે અને તે ધર્મને જ સદા સારભૂત માનતા હોય છે.' ૫૮૪ા एतदेव भावयति [ ગુણસ્થાનના પ્રભાવે વિવેકના પુનિત ઉદય ] गुणठाणपरिणामे संते पाएण बुद्धिमं होइ । aerodra अन्ने नियमेण उ तारिस बिति ॥ ८५ ॥ શ્લેાકા :- ગુણસ્થાનક પરિણામ પ્રવજ્યે છતે ઘણું કરીને જીવ વિવેકી બને છે. બીજાએ કહે છે કે પરિણામની દૃષ્ટિએ તે જીવા નિયમા વિવેકી જ હોય છે. ટપા गुणस्थानपरिणामे=जीवदयादिगुणप्रकर्ष परिणामे सति तत्त्वतो विद्यमाने प्रायेण बुद्धिमान् = युक्तायुक्तविवेचन चतुरशेमुषी परिगतः भवति जीवः अन्ये त्वाचार्याः तत्फलं = बुद्धिमत्त्वफलं "
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy