SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મિનિ અવા-પિતાની જાત ઉપર બેદરકારી. કો-ઉપદેશ આપીને; કgધનું પ્રેરક સં. ભૂ કુ થશે -પોતે ઈચ્છેલા, દેશ તરફ પણ અનસિક્ય થશે હા, તારા [સંપ કાર્યસાધક છે] ગોદાવરીને કાંઠે વિશાળ શાલ્મલીવૃક્ષ છે. ત્યાં વિવિધ દિશા અને દેશથી આવીને રાત્રે પંખીઓ નિવાસ કરતાં હતાં. પછી કોઈ એક વાર રાત્રિ પસાર થવા આવી ત્યારે, અસ્તાચલની ટોચ ઉપર કુમુદિનીના નાયક, ભગવાન ચંદ્રમા આશ્રય લઈ રહ્યા હતા ત્યારે, લઘુપતનક નામે જાગતા કાગડાએ બીજા યમરાજ સમાં આવતા પારધીને જોયો. પછીથી તે શિકારીએ ચોખાના દાણા વેરીને જાળ વિસ્તારી અને તે છુપાઈને રહ્યો. તે જ વખતે ચિત્રગ્રીવ નામે કબૂતરોના રાજાએ, પિતાના પરિવાર સાથે આકાશમાં પસાર થતાં, તે ચેખાના દાણા જોયા. પછીથી કબૂતરના રાજાએ ચોખાના દાણાથી લેભાયેલાં કબૂતરને કહ્યું: “આ નિર્જન વનમાં ચોખાના કણને કયાંથી સંભવ હોય ? તે તેની તપાસ કરે. આ બાબત હું સારી જેતે નથી. એટલે, અવિચારી કર્મ તે કોઈ પણ રીતે ન કરવું જોઈએ.” આ વચન સાંભળીને કોઈ એક કબૂતર અભિમાનપૂર્વક બોલ્યું: અરે, કેમ આમ કહે છે? કારણ કે : - - જ્યારે આપત્તિકાલ આવી પહોંચે ત્યારે વૃદ્ધોના વચનને ગ્રહણ કરવું જોઈએ, બધેય સ્થળે આ પ્રમાણે વિચાર કરીએ તે ભેજનમાં પણ પ્રવૃત્તિ ન કરાય.” (૧) આ સાંભળીને બધાં કબૂતરો ત્યાં બેસી ગયાં. પછીથી બધાં. જાળથી બંધાઈ ગયાં. પછીથી જેના વચનથી ત્યાં આશ્રય લીધા હતા.
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy