SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ૧૮. જેમણે મહાવિદ્યાઓને અભ્યાસ કર્યો નથી અને કલાવાસના જ્ઞાનથી જે બહિપ્ત થયેલા છે તેવા કેટલાક (કવિઓ) કાવ્યો રચવાની ઈચ્છા કરે છે. તેમના સાહસને (તે) જુઓ! ૧૯. તેથી કરીને શાસ્ત્ર તથા તેના અર્થને અભ્યાસ કરીને અને મહાકવિઓની ઉપાસના કરીને, ધર્મથી ભરપૂર, પ્રશંસનીય તથા. કીતિને લાવનારું કાવ્ય, બુદ્ધિ એ જેનું ધન છે એવા કવિએ રચો. ૨૦. ઉત્તમ કવિ બીજાઓએ કાહેવા દેશોથી કદી કરતો નથી, અંધકારને ખંખેરી નાખતો સૂર્ય શું ઘુવડના ભયથી શકતા નથી ? ૨૧. બીજ સંતુષ્ટ થાવ અથવા ન થાવ-કવિએ પિતાને અરે (સાધવાની) ઈછા કરવી જોઈએ; પારકાને સંતુષ્ટ કરવાથી શ્રેય થતું નથી; શ્રેય (તા) સાચા માર્ગના ઉપદેશથી થાય છે. ૨૨. કેટલાક કવિઓ શબ્દની સુંદરતાને પસંદ કરે છે, કેટલાક અર્થની સંપત્તિ, કેટલાક સમાસનું બહુલ, અને કેટલાક છૂટા છૂટા. પદસમૂહેને પસંદ કરે છે. ૨૩. કોઈક મૃદુ રચનાવાળા અર્થને ઇચ્છે છે, કેટલાક ગાઢ બંધવાળી રચનાને પસંદ કરે છે, કેટલાક મધ્યમ પ્રકારના બંધવાના રચનાને પસંદ કરે છે અથવા કેટલાકની રુચિ અને ખા પ્રકારની જ માલૂમ પડે છે. ૨૪. આ પ્રમાણે જુદા જુદા વિચારવાળા બુદ્ધિમાનને પ્રસન્ન કરવા મુશ્કેલ છે; તથા સુભાષિતોને નહિ જાણવાવાળા સામાન્ય માણસને પણ પકડમાં વાવ એ એથી વધારે મુશ્કેલ કામ છે. ૨૫. ઉત્તમ સૌન્દર્યવાળી ચંદન વૃક્ષની કંપળાને નાગો જેમ દૂષિત કરે છે, તેમ નિર્દોષ લેવા છતાં પણ રમ્ય કથાને દુર્જને દૂતિ કરે જ છે. ૨૬. જેમ શરદબાતુ કાદવથી દૂષિત બનેલા સરોવરને કાદવરહિત, કરે છે, તેમ દોષવાળી કૃતિને પણ સજજને દૂષણ વગરની કરે છે.
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy