SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વર્ષે આવવા આમંત્રણ ન આપ્યું ! ૧૯૬૩ના શિવરાત્રીના દિવસે તેમણે કહ્યું, ‘“બધા જેમને સંન્યાસ લેવો હોય તે આવી જાય. આવતી શિવરાત્રીએ શું હોય તે કોણ જાણે છે !'' બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ – ૧૯૬૩માં જ મે અને જૂનમાં ઘણી વખત કૅલેન્ડર મગાવી જુલાઈના દિવસો જોતા રહેતા. કોને ખબર તે વખતે કે સ્વામીજી સારો દિવસ નક્કી કરી રહ્યા હતા ! મે ૧૯૬૩થી દરરોજ ટેપરેકૉર્ડર પર નિયમિત પોતાનું ધ્વનિ આલેખન ચાલુ કરેલું. મહાસમાધિના મહિનાઓ પાક્ષિકોમાં લેખો વધુ મોકલવા લાગેલા. ૨૧ જૂન, ૧૯૬૩ના દિવસે ડાયમંડ જ્યુબિલી હૉલમાં છેલ્લી વખત આવ્યા. બહાર નીકળી મજાક કરતા હોય તેમ કહ્યું: ‘‘અરે ! બ્રહ્મલોકમાંથી વિમાન આવી રહ્યું છે. કોણ કોણ સાથે આવવા માગે છે ?'' " પહેલાંથી આખા હિંદનાં છેલ્લું રેકર્ડિંગ કર્યું તેનું છેલ્લું વાકય હતું: ‘પરમાત્મામાં આત્મા મળે છે ત્યારે આનંદ આનંદ થઈ જાય છે. ' ' ૬ઠ્ઠી જુલાઈ, ૧૯૬૩ની ગુરુપૂર્ણિમાએ સ્વામીજી બહાર ન આવ્યા. પક્ષાઘાતને કારણે ફરવું મુશ્કેલ બન્યું હતું. પછી તો પડખું પણ ફેરવી દેવું પડતું. સરખું બોલાતું નહીં, ખૂબ દુઃખમાં પણ તેમણે કારો કદી કર્યો નહીં. શરીરે દુ: ખી થતા છતાં તેમનું મજાક કરવાનું તો ચાલુ જ હતું. ૧૨ જુલાઈ, ૧૯૬૩ના દિવસે દેવકી કુટ્ટીએ પેન અને કાગળ
SR No.005999
Book TitleShivanand Saraswati Santvani 27
Original Sutra AuthorN/A
AuthorShivanand Adhvaryu
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2006
Total Pages82
LanguageGujarati
ClassificationInterfaith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy