________________
સ્વધામ ગમન સેવા, શુશ્રુષા અને તેનાં એક અઠવાડિયાનાં કપડાં ધોવાની સેવા.''
ખૂબ ખુલ્લા દિલની ઉદારતા તેમની પ્રતિભાનું એક પાસું હતું, તો સ્વાશ્રય બીજું એવું જ મજબૂત પાસું હતું. ( શિવાનંદજીની સર્વાગી પ્રતિભામાં સાદાઈ, સેવાનો ભાવ, સહૃદયતા, વિશ્વપ્રેમ, અમર્યાદ દાનવૃત્તિ, ઊંડો ભક્તિભાવ વગેરે હતાં.
આ બધાં તત્ત્વોનાં મૂળમાં તેમનો આત્યંતિક ત્યાગ રહેલો હતો. તે રમતગમત રમીને શરીર અને મનને નીરોગી રાખતા. તેમનો સિદ્ધાંત હતો D.I.N, Do it now. મોડું ન કરો. હમણાં જ કરો.
નીચાં નમી વીણીશું ક્યારે ? આજ આજ ભાઈ, અત્યારે.
૧૩. સ્વધામ ગમન
૧૯૬૦નું વર્ષ હતું. એક ભક્ત આવેલ. તે રિટાયર્ડ થયા હતા. અંતર્મુખ થઈ સ્વામીજી બોલ્યા: ‘‘રિટાયર્ડ થયો? કે થઈ રહ્યો છું?'' આવતા દિવસોના તે ભણકારા હતા તેની કોને ખબર હતી ?
૧૯૬રના મે માસમાં એક આગંતુક સાથે ફોટો પડાવવા બેઠા. ઊભા થઈ તેના નજીકના શિષ્યને કહ્યું: ““ના હમ, ના તુમ, દફતા ગુમ.''
ચાર માસ પછી તેમના જન્મદિવસે, દર વર્ષની માફક આવતા