________________
દુનિયાના સર્વ ધર્મો એક છે “હે સંતે, દુનિયા પાગલ થઈ પઈ છે. સાચી વાત કહીએ છીએ તે મારવા દોડે છે, મિથ્યામાં સૌ શ્રદ્ધા રાખે છે. ઘણાય નિયમત્રતવાળા જોયા; સવારના વહેલા નહાય છે, જીવતાં જાનવરની કતલ કરી ખાઈ જાય છે. તેઓ પાષાણમૂર્તિની પૂજા કરે છે. આવા લોકોને કશાનીય સૂઝ નથી. એવા પીર ને ઓલિયાઓ જોયા છે જેઓ કુરાન પઢે છે. જેમને પિતાને કશુંયે જ્ઞાન નથી તેઓ પોતાના ચેલાઓને શું દાખવી શકવાના છે?! આવી રીતના ધુતારાઓ ગુરુનું આસન માંડી બેસી જાય છે, પોતાને બહુ ઊંચા માને છે, ધાતુ તથા પથ્થરની મૂર્તિઓ પૂજે છે, તીર્થાટનના ઘમંડમાં ભૂલે ભટકે છે, માળા, ટોપી પહેરે છે; ટીલા ટપકાં કરે છે, સાખી શબ્દ ઉચ્ચારે છે, પણ તેમને પિતાના ભીતરની ખબર હોતી નથી. હિન્દુ કહે છે કે અમારે ભગવાન રામ છે, મુસલમાને કહે છે કે રહમાન છે. બન્ને પરસ્પર લડીને મરી જાય છે. મૂળની કઈનેયે જાણ નથી. પિતાની મોટાઈના ઘમંડમાં ઘરેઘર ચેલકાઓ મૂંડતા અને દીક્ષા દેતા ફરે છે. ગુરુ ને ચેલા બન્ને ડૂબશે. છેવટે બંનેએ પસ્તાવું પડશે. કબીર કહે છે હે સન્તો ! આ ભ્રમજાળ છે. કેટલું કહીએ ? લેકે માનતા નથી. તે ભગવાન સૌમાં એકસરખી રીતે વ્યાપ્ત છે. . . . ખરો કાજી તે છે જે બીજાનાં કામો સુધારી દે છે અને કઈ પણ અપકૃત્યથી તે રાજી ન થાય. જે બૂરાં કામ કરે તે કાછ નહીં પણ પાજી કહેવાય. હે કબીર, સાચો પીર તે છે કે જે સૌની પર (પીડા) જાણે છે, જે બીજાની પર(પીડાને ન સમજે તે પીર નહીં પણ કાફિર – બે-પીર છે.