________________
દુનિયાના સર્વ ધર્મો એક છે પિતાની ઈન્દ્રિયને કાબૂમાં રાખો, તથા પિતાના અંતરને દર્પણ પરે સ્વચ્છ રાખે.”
જુનૂને પૂછ્યું: “બહેન! કાંઈક વિશેષ સંભળાવે.” તેને જવાબ મળે? “તમે તમારે માટે તમારા આત્માને જ પૂછે.”
દુનિયાના સર્વ ધાર્મિક ગ્રંથમાં પિતાનાં દિલને, ઇંદ્રિયને તથા બુદ્ધિને કાબૂમાં લાવવાનું જેટલું આવશ્યક ને અનિવાર્ય બતાવવામાં આવ્યું છે, અને એની પ્રાપ્તિ માટે જે અન્વેષણ થયું છે તેટલું મહત્ત્વ બીજી કોઈ વસ્તુને નથી અપાયું; એટલે સુધી કે આ વસ્તુ એક નિરાળી વિદ્યા જ ગણુઈ છે. હિંદુઓ આ વિદ્યાને “ગ”ને નામે તથા મુસલમાને “સલૂકને નામે ઓળખે છે. જે મૂળભૂત સિદ્ધાંતનું અમે ઉપર વર્ણન કર્યું તેનું મંથન કરીને સાધુ, સંત, સૂફી, તથા ફકીરેએ તેમાંથી અમૃત અને મોતી કાવ્યાં છે; આ વિદ્યાના હિંદુ તથા મુસ્લિમ ગ્રંથોમાં તે ભર્યા પડ્યાં છે. આ ગ્રંથ ઉપર દષ્ટિ ફેંકતાં જે એકસરખી વાત મળી આવે છે, તે જોઈને આશ્ચર્ય થાય છે અને પ્રતીત થવા લાગે છે કે આ સર્વ એક જ અથવા એક જ જેવા સ્ત્રોતથી સીંચાઈ છે. દષ્ટાંતરૂપે અમે કેટલીક મળતી આવતી વાતે ઉદ્ધત કરીને આ ભાગ પૂરે કરીશું.
આ બન્ને પ્રકારમાં ગુરુની અથવા પીરની અનિવાર્યતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. કુરાન અને ગીતા બનેમાં તે પ્રતિપાદિત છે.